________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકાશકીય..
પૂજ્ય સાધુ સાધ્વીજી ભગવંતોને તથા મુમુક્ષુ આત્માઓને અત્યંત ઉપયોગી થઈ શકે તેમજ વિહાર આદિમાં રાખવા માટે સુલભતા ૨હે તે હેતુથી અલગ-અલગ વિભાગમાં ‘કૈલાસ-પદ્મ સ્વાધ્યાય સાગર' પ્રકાશિત થાય એ અમારી ઘણા સમયથી મહતી અભિલાષા હતી, જે પૂર્ણ થતા અમને આત્મિક પરમાનંદ પ્રગટ થાય છે.
સ્વાધ્યાય સાગર ને જ સંશોધિત પરિમાર્જીત કરી કૈલાસપદ્મ સ્વાધ્યાયસાગરની દ્વિતીય આવૃત્તિ પ્રકાશિત કરતાં અત્યંત હર્ષ થાય છે. નવ ભાગોમાં પ્રકાશિત થઈ રહેલ આ પ્રકાશન અનેક પ્રકારનાં સુધારા વધારા તથા ઉપયોગી માહિતીથી સમૃદ્ધ ક૨વામાં આવ્યું છે. જેની નોંધ લેવી ઘટે તેમ છે.
આ ગ્રંથનું પ્રકાશન કરતા અમોને એ બાબતની પણ વિશેષ ખુશી થાય છે કે આ સાથે અમો અમારી એક લાંબા ગાળાથી પ્રતિક્ષિત એક જવાબદારી પૂર્ણ કરવા સમર્થ થયા છીએ.
પૂજ્ય આચાર્યશ્રીના વરિષ્ઠ શિષ્ય ઉપાધ્યાય પ્રવર શ્રી ધરણેન્દ્રસાગરજીની એમના કાલધર્મ પૂર્વે પ્રબલ ભાવના હતી કે સ્વાધ્યાય સાગરનું પુનઃ પ્રકાશન થાય... અને એ માટે તેઓશ્રીના સદ્ઉપદેશથી અમુક ધનરાશિની પણ વ્યવસ્થા
For Private And Personal Use Only