________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુકવાની ભૂમિ પ્રમાજી ત્યાં ઉભા રહી ડાબા પગના અંગુઠા ઉપર દાંડો રાખી ડાબા હાથના અંગુઠે સ્થિર કરી, જમણા હાથમાં મુહપત્તિ રાખી ઉભા ઉભા ખમા૦ દઇ આદેશ માગી ઇરિયાવહિવે તસ્સઉત્તરી અન્નત્થ૦ કાઉસ્સગ્નમાં જે ક્રમથી ગોચરી લીધી હોય અને તેમાં જે જે દોષ લાગ્યા હોય તે સંભારે. (હાલમાં એક લોગસ્સનો કાઉસ્સગ્ન કરાય છે) પછી કાઉસ્સગ્ન-પારી લોગસ્સ૦ કહી લાગેલા દોષો ગુરૂને કહી ગુરૂને આહાર દેખાડે.
પછી ગોચરી આલોવે તે આ પ્રમાણે-પડિક્કમામિ ગોઅરચરિઆએથી માંથી “
મિચ્છામિદુક્કડે સુધી (શ્રમણ સૂત્રમાં આવતાં બીજો આલાવો) કહે, પછી તસ્સ ઉત્તરી) અન્નત્થ૦ કાઉસ્સગ્નમાં નીચેની ગાથા અર્થ સહિત એકવાર વિચારે.
અહો જિહિં અસાવજ્જા, વિત્તી સાહૂણ દેસિયા; મુખસાહણ હેઉચ્ચ, સાહુદહસ્સ ધારણા (૧) અર્થ-આશ્ચર્ય છે કે જિનેશ્વર દેવોએ મોક્ષના સાધન રૂપ રત્નત્રયીની આરાધના કરવાવાળા એવા સાધુઓના દેહને ટકાવનારી પાપરહિત આજીવિકા બતાવી છે, આવી ભાવના ભાવીને કાઉસ્સગ પારી લોગસ્સ કહેવો, પછી પાંચ દોષ લગાડ્યા વિના આહાર વાપરે. (દ. વૈ. અ. ૫-૧-૯૨)
પ૭
For Private And Personal Use Only