SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫ જીને અથવા નીસરણું હોય તે શ્રેષ્ટ છે, અને તે નીસરણું શાળાની લંબાઈને ચોવીસમા ભાગ નીસરણીના આગળ રાખીને (રમણું અથવા તેની છુટ જમીન) નીસરણી અથવા જીને કરવો, અને તેના પગથીયાની લંબાઈ દ્વારની પહેળાઈ જેટલી કરવી, અને તે પગથીયાં પહોળાં સાંકડાં કે નાનાં મોટાં રાખવાં નહિ, અને તેની આગળની ધારે એક સુત્રમાં રાખવી. રાજાઓના ઘરનું પ્રમાણુ. રાજાઓનું ઘર એકસોને આઠ ગજ પહેલું હોય તો તે ઉત્તમ ઘર કહેવાય, પણ તે ઉત્તમ ઘર કરતાં કનિષ્ટ. પંક્તિનું ઘર કરવું હોય તો તે ઉત્તમ ઘર કરતાં દરેક કનિષ્ટ ઘર આઠ આઠ ગજ ઘટાડવું, પણ ઘટાડવાની રીત એવી છે કે ઘરની જેટલી પહોળાઈ હોય તેથી સવાઈ લંબાઈ વધારે કરવી, જેમ કે એક સો આઠ હાથનું ઘર પહોળું હોય તો એક પાંત્રીસ ગજ લાંબુ કરવું, સે ગજ પહેલું હોય તે સવાસો ગજ લાંબુ કરવું, બાણું ગજનું પહેલું ઘર હોય તો એક પંદર ગજ લાંબુ કરવું, ચોરાશી ગજ પહોળું હોય તો એકસો પાંચ ગજ લાંબુ કરવું, અને છોતેર ગજ પહેલું હોય તો પંચાણું ગજ લાંબુ કરવું, એ રીતે રાજાઓના ઘરના પાંચ પ્રકાર કહ્યાા છે. પ્રધાન વગેરેના ઘરનું પ્રમાણ મંત્રિ અથવા પ્રધાનનાં ઘરે પણ પાંચ પ્રકારનાં છે, તે દરેક પ્રકારમાં ચાર ચાર ગજ ઘટાડી ( પહોળાઈમાંથી. "Aho Shrutgyanam
SR No.008472
Book TitleShilpa Chintamani Part 1
Original Sutra AuthorN/A
AuthorMansukhlal Bhudharmal Mistri
PublisherMansukhlal Bhudharmal Mistri Dhinoj
Publication Year1933
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy