________________
પ્રસ્તાવના.
-:(૦):વેપારના વધવાથી દેશની આબાદી થાય છે ને તેની સાથે નિવૃત્તિને વખતે ચાહુ સમાની મેજ મજામાં ભાગ લેવાની વૃત્તિ થાય એ સ્વભાવિકજ છે.
આજ કાલ સંગીતને પ્રચાર ઘણે વધે છે, ને તે એટલે સુધી કે મુંબઈના કોઈપણ માહોલ્લામાંથી રાતની વખતે નીકળતા છેવટ એકાદ વાજીત્રને નાદ કાનમાં અથડાયા વિના રહે તો અજાએબી લાગે! ગાયન તરફ લેકેની પ્રીતિ એટલી બધી વધે એ તો ઈષ્ટજ છે. પણ તે શેખે જે સ્વરૂપ પકડેલ છે તે વાજબી છે કે નહીં તે વિચારણીય છે. આજ કાલ લેકને નાટકોના ગાયનું ચેટક એટલું બધું લાગેલું છે કે હદ બાહેર ધનનો વ્યય તેમાં કરી ઘણી વખત સેનતથી કેટલાએક દુરાચારી થઈ નષ્ટ થાય છે, એવા ગાયનની પ્રીતિને લઈને કુમા પડતા અટકાવવાના હેતુથી કેટલાક ઉદાર, ઉત્સાહી અને ધર્મરાગી પુરૂએ સંવત ૧૯૪૭ ના આસો સુદ ૧૦ ને દીવસે આ મંડળીનું સ્થાપન કર્યું અને મેઅરને ફકત સંગીતનું જ જ્ઞાન આપવું એ નિયમ ન રાખતાં સંગીત સાથે સંસ્કૃત માટે પડીતો તથા સંગીત માટે ઉસ્તાદે રાખવામાં આવ્યા.
આ કાર્યમાં આજ દિવસ સુધી મડળીએ કેવા દે. ખાવ કર્યો છે તે મડળીના વાષક રીપેટ (જે મડળીના સેક્રેટરીને અરજ કરવાથી મળશે પરથી જણાશે.
સંગીતને અભ્યાસ કરાવવામાં ચાલુ ઢ૫ના ગાચોના સંગ્રહની ખામી હોવાથી અડચણ પડવા લાગી અને તે દૂર કરવા મંડળીને વીનતી થવાથી આ પુસ્તક પ્રગટ કરવામાં આવ્યુ છે. તેમાં બનતા સુધી પૂર્વાચાર્યોના કરેલા સ્તવનો ચાલુ ઢપમાં બેસાડી ઉપર રાગ સુધાં
"Aho Shrutgyanam"