________________
MMMMMMMMMMMMMREMBASMINAMNYAMISASSMAN
વિધિ–શનિવારને દિવસે સંધ્યાકાળે સ્વચ્છ ભૂમિમાં કુમારીકાના હાથે પહેલી પંક્તિમાં ૬, બીજીમાં ૧૦ અને ત્રીજીમાં ૧૦ યુગંધરીની ઢગલી કરાવવી; પછી ૐ સર્ચ. એ ગાથાને ૭, ૨૧ કે ૧૦૮ વાર ગણી સોપારી કે રૂપાનાણું મંત્રી તે ઢગલીની નીચે સ્થાપવું અને નમિ જગ. એ બે ગાથાને પાઠ બેલ, તથા સોપારીની અક્ષત પૂજા કરવી. બીજે દિવસે સવારે ચેથા પ્રહારમાં શુભ ચોઘડીયામાં નમિ. જગ. એ બન્ને ગાથા ત્રણ વાર ભ| કુમારીકાના હાથે પહેલી પંકિતની ઢગલી પર સોપારી મૂકાવવી, ત્યાર પછી તે સોપારી એજ બે ગાથાને ત્રણ ત્રણ વાર ભણું બીજી પંકિત અને ત્રીજી પંકિતની હરકેઈ ઢગલી પર મૂકાવવી. પછી પહેલી પંકિતની ઢગલીથી સેંકડાને, બીજી પંક્તિની ઢગલીથી દશકને અને ત્રીજી પંકિતની ઢગલીથી ગાથાનો આંક લેવો. આ રીતે જે આંક આવે, ઉપદેશમલાની તેટલામી ગાથા લઈ તેનું ફલાફલ તપાસવું.
કેઈને અનશન કરવું હોય અને જે ગાથા ઉત્તમ હોય તે જાણવું કે–તેનું આયુષ્ય લાંબું છે, માટે અનશન દેવું નહીં, મધ્યમ ગાથા હોય તે આયુષ્ય છે એમ માની વિલંબ કરે, અથવા સંપૂર્ણ વિચાર કરીને અનશન દેવું, ચેકડીવાળી મધ્યમ કે ચેકડીવાળી શુન્ય ગાથા હોય તે અનશન લેનારને કષ્ટ થાય, દીર્થગી રહે કે કલેશ થાય, અને શુન્ય (૨) ગાથા હોય તે જીવન ઓછું છે એમ જાણવું. અને તુર્તજ અનશન કરાવવું
વળી તે ગાથાના જેટલા અક્ષર હોય તેને ત્રણથી ભાગ દે; જે શેષમાં ૧ વધે તે પાંચ દિવસ પાંચ પહેર કે પાંચ ઘડી જીવે, ૨ વધે તે દસ દિવસ દસ પહેર કે દસ ઘડી જીવે, અને ૦ વધે તે તુરત મૃત્યુ પામે. ઉત્તમ ગાથાવાળાનું જીવન લાંબુ હોવાથી તેને ત્રણનો ભાગ દેવાની જરૂરી નથી. મધ્યમ ગાથાને ત્રણથી ભાગતાં શેષમાં ૧ વધે તે પાંચ દિવસ કે પાંચ પહેર કષ્ટ રહે, ૨ વધે તે દસ દિવસ કે દસ પહેર કષ્ટ રહે, અને ૦ વધે તે અ૫ કષ્ટ થાય ને તુરત મૃત્યુ પામે. શુન્ય ગાથાના અક્ષરોને ત્રણથી ભાગતાં શેષમાં ૧ વધે તે પાંચ પર કે પાંચ ઘડી જીવે; ર વધે તો દસ પહેર કે દસ ઘડી જીવે અને ૦ વધે તે આયુષ્ય હેતું નથી, માટે અનશન કરવામાં વિલંબ કરે નહીં.
આ વિધિથીજ રાજસેવા, પરદેશ, યુદ્ધ, રોગોત્પતિ, વ્યાપાર ગમન, પુત્ર-પુત્રી જન્મ ઈત્યાદિ પ્રસંગે જીવિતવ્ય વિગેરે શુભાશુભ જોવાય છે.
આ ઉપરાંત વિવિજ્ઞાનના બીજા પાઠ આ પ્રમાણે છે. १ अप्पहड्डयह वाहिय, निडडिअनामक्खर त्ति गुणिज्ज । विसमई जीवई समई, मरई अट्ठहि भाव हरिज ॥१॥
૩૭૨