SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ Sasarama અથ..જો લગ્નપતિ અને ચંદ્ર શત્રુઘરના નીચ, વક્રી, કે અસ્ત પામેલા હોય; તથા રવિ ગુરૂ અને શુક્ર નિળ હોય, તથા લગ્નમાં સ્વામીની દૃષ્ટિ ન પડતી હોય તે તે લગ્નના ત્યાગ કરવો.” ॥ ૧ ॥ લગ્નમાં ચંદ્ર હોય તે પણ લગ્ન દુષ્ટ મનાયેલ છે. લલ્લ તે કહે છે કે-~~ सौम्यग्रहयुक्तमपि प्रायः शशिनं वर्जयेल्लग्ने । = : અ— “સૌમ્ય ગ્રહ સાથે પણ રહેલ ચંદ્રને સામાન્યતયા પ્રાયઃ લગ્નમાં વવે.” લગ્નભવનમાં જે જે ગ્રહેાના નિષેધ છે તેના નવાશાને પણ ત્યાગ કરવા. એટલે—ચંદ્ર મંગલ શિને રાહુ અને શિવ જે શિમાં હોય તે રાશિના નામને! અંશ પણ ત્યાજ્ય છે. નવાંશની શુદ્ધિમાં એ લક્ષ્ય રાખવુ કે લગ્નકું ડળીમાં ઈષ્ટ નવાંશજ સ્થિર છે, તેની પૂના નવાંશા પણ સ્થિર છે, પરંતુ પછીના નવાંશે ચર છે. પછીના નવાંશે। મા ભુવનના ગણાય છે. આવી રીતે ખરે ભુવનના નવાંશે ફરે છે જેમકે—કન્યાલગ્નના ડ્રો નવાંશ લેવે હોય તેા કન્યાના છ નવાંશેા કન્યાલગ્નના જાણવા અને પછીના ત્રણ નવાંશે તુલાના જાણુવા, આવી જ રીતે કન્યામાંથી આવેલા ત્રણ નવાંશા તુલાના થયા અને તુલાના છ નવાંશે મેળવતાં તુલાલગ્ન પૂરૂ થાય છે. વળી તુલાના શેષ ત્રણ નવાંશે! અને વૃશ્ચિકના છ નવાંશેાથી વૃશ્ચિકલગ્ન અને છે. આજ રીતિથી મારે ભુવનના નવાંશે ક્રૂરે છે, અને પછીના નવાંશે પછીની રાશિમાં જાય છે. આ રીતિથી નીપજાવેલ ફળ તે ભાવફળ કહેવાય છે. અહીં બીજા સ્થાનમાં ગયેલ ગ્રહ દોષકારક થતો હોય તે તે દોષના પણ ત્યાગ કરવો. જેમકે—કન્યાલગ્નના છઠ્ઠો મિથુનાંશ ઈષ્ટ અંશ છે, અને કન્યાથી છઠ્ઠી કુંભરાશિના આઠમા નવાંચે મંગળ છે પણ ભને આઠમે નવાંશ મીનમાં જતા હેાવાથી મગળ પણ હવે મીનમાં છે. એટલે—મંગળ લગ્નથી છઠ્ઠો હતા, પણ ભાવફળમાં સાતમે આવ્યે છે, અને સાતમા સ્થાનને મંગળ દુષ છે તથા લગ્નને નિખળ કરે છે, તેથી કન્યાલગ્ન દૂષિત જાણવું. ચંદ્ર ભાવળમાં આઠમે થતા હોય તો સ` ગ્રહો શુભ હોવા છતાં લગ્ન લેવું નહીં. ભાવની સ્પષ્ટતામાં થયેલા દાષા દૂષ્ણુરૂપ છે, પણ ભાવષ્ટતા થયેલા ગુણા ગુરૂપ નથી. જેમકે——સૂર્ય સાતમા સ્થાનમાં હોય, અને ભાવળમાં આઠમા સ્થાનમાં જતા હોય, તો પણ તે સાતમા સ્થાનમાં છે એમ માનવું. અથવા ચાથા સ્થાનમાં રહેલ શુક્ર ભાવસ્પષ્ટતા કરતાં પાંચમાં સ્થાનમાં જતાં શુભ થતા હોય, તે પણ તે ચોથા સ્થાનમાં છે એમ માની લગ્નનો નિષેધ કરવા. અર્થાત્-લગ્નકુંડળીના ગ્રુષ્ણેા ગુણુરૂપે અને દોષો દોષરૂપેજ રહે છે, પણ ભાવસ્પષ્ટતા કરતાં થયેલ ગુણા ગુણુરૂપે ફળતા નથી, જ્યારે દોષો દેષરૂપે પરિણમે છે. કતરી, જામિત્ર, યુતિ, ક્રાંતિસામ્ય અને બુધપંચક દાષા પણ શ્રેષ્ઠ કાર્યોંમાં વર્જ્ય છે. ABSENES ૧૧૩
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy