SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૪. છીંક થઈ હોય, ઘરમાં કંકાસ થયો હોય, ઘરમાં અગ્નિ લાગ્યો હોય, બિલાડી અથવા પાડાનું યુદ્ધ થતું હોય ‘‘હુવચન'' એટલે જઈશ નહિ - મરી જઈશ એવા અમંગલ શબ્દો બોલાતા હોય, વરસનો છેડો બારણા વિગેરેમાં ભરાઈ ગયો હોય, મસ્તક અથડાયું હોય, ઠેસ વાગવાથી કે બીજા કોઈ કારણથી ગતિમાં ખલના થઇ હોય, આવી ચેષ્ટાઓ પ્રયાણ સમયે થાય તો શુભાશુભનો વિચાર કરીને નમન કરવું... ૫. વિધાર્થી, ચોર, વણિકના પ્રમાણમાં જો કોઈ માણસ ખાલી અને અનુલ ઘડો પાણી ભરવા લઈ જતો હોય અને તે (પ્રયાણ કરનાર) સાથે થયો હોય તો તે કાર્યની સિદ્ધિ થાય છે... ૬. પ્રયાણ વખતે પહેલું શુકન અશુભ હોય તો ૧૧ શ્વાસોશ્વાસ, બીજી વખત અશુભ હોય તો ૧૬ શ્વાસોશ્વાસ જેટલો કાળ રાહ જોઈને પ્રયાણ કરવું... અને ત્રીજું શુકન અશુભ હોય તો પાછા જ ફરવું... ૭, સઘળા નિમિત્તોથી પણ ચિત્તોત્સાહ વધુ બલવાન છે. સત્તેર શાનુ, ત્રિાવાં જ વિરોત: નિમિત્તાત, વિસ્તારો પ્રમત દ્રા (આ. સિ. વિ. ૪ બ્લો ૬૩) ૮. ધનિષ્ઠા પંચકમાં નીચે મુજબના કાર્યો થઈ શકે નહિ... તૃણકાષ્ઠાદિનો સંગ્રહ, ગૃહારંભ, છાપરાનું ઢાંકવું, દક્ષિણમાં ગમન, શય્યાદિ લેવું, આ બધું વર્જ્ય છે.... દીક્ષા મહર્ત વિધિ : ૪, ૬, ૮, ૧૨, ૧૪, ૧૫, ૦| ત્યાજ્ય છે. પૂર્ણિમા તો સર્વથા ત્યાજ્ય છે, બાકીની ૧-૨-૩-૫-૭-૯-૧૦-૧૧-૧૩ શુભ છે.. વાર : રવિ, બુધ, ગુરૂ અને શનિ શુભ છે. બાકીના વારો અશુભ છે, પરંતુ અન્યત્ર બલવાન યોગ કે લગ્ન હોય તો શુક્ર પણ લીધો છે તેમજ નારચન્દ્રમાં સોમ પણ લીધો છે... નક્ષત્ર : રોહિણી, પુનર્વસુ, ઉત્તરફાડ્યુની, ઉત્તરાષાઢા, ઉત્તરભાદ્રપદ, હસ્ત, સ્વાતિ, મૂલ, અનુરાધા, શ્રવણ, શતભિષા, રેવતી, પુષ્ય અને પૂર્વભાદ્રપદ દિનશુદ્ધિ આદિના મતે લીધાં છે, સંધ્યાગતાદિ સાત નક્ષત્રો દીક્ષામાં ખાસ વર્ય છે... માસ : કાર્તિક, માગસર, મહા, ફાગણ, વૈશાખ, જેઠ અને આષાઢ શુભ છે. બાકીના વર્ષ છે. તેમજ ઇ-પુત્ર પુત્રીની દીક્ષામાં જેઠ માસ તજવો, છતાં પણ આવશ્યક જ હોય તો કૃત્તિકાનો સૂર્ય છોડીને આપી શકાય છે... ગોચરદ્ધિ આચાર્યને ચંદ્રબલ અને શિષ્યને રવિ-ચંદ્ર તથા ગરબલ જોવું... ચંદ્ર : ૧, ૩, ૬, ૭, ૧૦, ૧૧ ઉભય પક્ષમાં શુભ છે... ૨, ૫, ૯ શુક્લપક્ષમાં જ શુભ છે... સૂર્યઃ ૩, ૬, ૧૦, ૧૧ મો શુભ... ગ ૨, ૫, ૭, ૯, ૧૧ મો શુભ છે... ગુરૂ-પુષ્ય અમૃતસિદ્ધિનો ત્યાગ કરવો... નાડીવેધ, નાગકરણ અને એક નાડીગત નાત્ર શુભ છે... ૨/૧૨, ૯/૫, ૬/૮ તથા ૩, ૫, ૭ મી તારા વર્જવી... નક્ષત્ર એક નાડીનું હોય તો વિરૂદ્ધ યોનિનો દોષ નથી. વળી ગણ વર્ગ અને લભ્ય પણ જોવું... __"नामकर्तुराचादिर्ये केऽपि वर्णा मैत्रीभाजः सन्ति, तेषां वर्णानां मध्ये यस्य वर्णस्य जीवेन्द्र गोचरशुद्धया बलिष्ठाः, યુન્નેિ વર્ણમાલી સ્વસ્થ શિવાલીનાં નામ ટેવ '' (આ. સિ. વિ. ૩ બ્લો. ૨૭ ની ટીકા) લગ્નદ્ધિ : મિથુન, સિંહ, કન્યા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ, મીન આ ૮ રાશીઓના લગ્ન શુભ છે. (આ સિ. વિ, ૫, શ્લો ૨૧) નવમાંશ ઉપરોક્ત ૮ રાશિના નવમાંશ તેમ જ મેષ, વૃષનો પમ નવમાંશ શુભ છે... (આ. સિ., પૂ. ૩૧૮ ભાષાંતર) બુધનો અસ્ત હોય ત્યારે ધન નવમાંશ ન લેવો અને તુલા તથા મકરનો ચન્દ્ર હોય ત્યારે ચર લગ્નમાં તુલાનો અંશ લેવો નહિ. .. (આ. સિ. પૂ. ૩૧૯ ભાષાંતર) છેલ્લો નવમાંશ વર્ગોત્તમ વિના લેવો નહિ. .. સંક્રાંતિ સિંહ કન્યા અને તુલા સંકાતિમાં દીક્ષા ન થાય... પવર્ગ શુદ્ધિ : છ એ વર્ગના સ્વામિઓ સૌમ્ય હો તો પવર્ગ શુદ્ધિ થાય. છેવટે ૫ વર્ગની શુદ્ધિ ચાલે . (આ. સિ. પૃ. ૪૩૭) શુભાશુભ ગ્રહો : ૧] ચંદ્રઃ ૧) લગ્નમાં હોય, લગ્નને જોતો હોય, સોમવાર હોય અને ચંદ્રનો નવમાંશ હોય તો વર્ષ છે... (આ. સિ. ભાષાંતર પૃ. ૩૧૮)
SR No.008460
Book TitleJyotirmahodaya
Original Sutra AuthorN/A
AuthorAkshayvijay
PublisherAkshayvijay
Publication Year
Total Pages113
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Devotion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy