SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ રોગ : મધુમેહ, જલોદર, શરીરમાં ગાંઠો, ગૅસ, ઝાડા, વિટામીન એ, પોતાના કારક જીવનમાં ૨, ૫, ૯, ૧૦, ૧૧ માં ઉત્તમ ફળ આપે છે. કંડલીમાં ગુરુ બળવાન હોય તો જાતક ભાવનાવશ હોય છે. ઉદારમતવાદી મહત્ત્વાકાંક્ષી, બધાની સહાનુભૂતિ મેળવે. મદત માટે સદા સજ, ન્યાયપ્રિય, ગુરૂથી ભૂલો થાય પણ ભાવના વશથી કરે. ગુરૂ કેન્દ્રમાં હોય તો ભાવનાવશથી વધુ ભૂલો કરે. સ્વનક્ષત્રમાં કે રવિ, બુધ, શુક્ર ચંદ્રના નક્ષત્રમાં હોય તો ગુરૂ સુંદર ફળ આપે છે. પાપગ્રહની દષ્ટિ કે યુતિમાં સ્વશુભત્વ ઓછુ કરીને પાપગ્રહનું શુભત્વ વધારે છે. અને શુભગ્રહની યુતિ કે દષ્ટિમાં અત્યંત શુભ ફળ આપે છે. ગુરૂ-શુક્ર, ચંદ્ર-ગુરૂ, ગુરૂ-બુધ આ યુતિ કે દષ્ટિ અત્યંત સારા ફળ આપે છે. ગુરૂ જ્યારે દોષિત હોત તો જાતક અજ્ઞાની, બઢાઈખોર, દાંભિક, મેદાધિય વધુ કામી, બહુગળ્યું ખાનાર. શુભસ્થાનમાં ગુરૂ દુષિત હોય તો લાંચ આદિ લઈને બીજાને હાની પોહચાડે, ઈછાતૃપ્તિમાં લાગેલ, કોઈ પણ માર્ગે સ્વ ઇચ્છા તૃપ્ત કરનાર દોષિત ગુરૂ અભિમાની હોય છે. ગુરૂ અંતજ્ઞ સ્વભાવઃ વિચાર, ભાવનાનું સંમિશ્રણ, પરોપકાર, સુસ્વભાવ, સામાજીક પ્રવૃત્તિ, આશાવાદી, સૌંદર્યપ્રિય, શરીર સ્વાચ્ય, દયા, ક્ષમા, શાંતિ, ઈશ્વરભક્તિ, માન સન્માન, નૈનિક દર્ભે, આત્મવિશ્વાસ, આનંદી સમાધાની, ન્યાયી, માનસિક વિપુલતા સારી બાબતમાં સામાન્યજ્ઞાન સારૂ, ઉત્તમ નિર્ણય શક્તિ, જુની બાબતોનો ચાહક, સુભાષચંદ્રના કુંડલીમાં ગુરૂ પાંચમે મંગળ ધનમાં, રવિ, બુધ, રાહુ દશમે, શુક્ર લાભમાં હતો તેથી શનિની દષ્ટિ રવિ, બુધ, રાહુ ૭ મી દષ્ટિ મંગળ અને ૧૦ મી દષ્ટિ ગુરૂ પર હોવાથી રાજયોગ હોવા છતાંય રાજયોગ પ્રાપ્ત ન થયો, જ્યારે સ્વામી વિધ્યારણ્યના લગ્નમાં ધનનો ગુરૂ, ચતુર્થમાં ઉચ્ચનો શુક્ર પંચમમાં, મેષનો રવિ, સપ્તમમાં શનિ હોવાથી અષ્ટમમાં કર્કનો ચંદ્ર, રાહુ ષષ્ટમમાં ગુરૂ લગ્ન હોવાથી અષ્ટલમી યોગ. ગુરૂ લગ્નમાં સ્વગૃહી આ રાજયોગની કુંડળી છતાં શનિ સપ્તમમાં હોવાથી રાજયોગ ભોગની પ્રવૃત્તિ નથી તેથી સામ્રાજ્યની સ્થાપના કરી ફરીથી સંન્યાસી બન્યાં. વિવાહ ઉપનયન દીક્ષાદિ સર્વ શુભકાર્યમાં ગુરૂ બળ હોવું જોઈએ. ગુરૂ જો અર્તગત હોય તો મંગળ કાર્ય ન થાય, ગુરૂ એ રવિ, ચંદ્ર જેટલો બળવાન નથી અને શીઘ પરિણામ કારક નથી. મંગળ જેટલું સામર્થ્ય કે પરાક્રમ પણ નથી. બુધ એટલી ગુરૂમાં બૌદ્ધિકતા નથી. શુક્ર જેવું તેજ કાવ્યશક્તિ, નિશ્ચિત પ્રેમ નથી, શનિ જેટલું મુત્સદ્દી પણાં, ગાઢજ્ઞાન, તપશ્ચર્યા કર્મઠતા, નિષ્ઠા, ઉચ્ચસ્થિતિ આપવાની શકિત ગુરુમાં નથી. રાહુ જેટલો રાજકારણી નથી અને કેતુ જેટલી સંન્યાસી વૃત્તિ નથી. પણ આ સર્વગ્રહોના સગુણ ગુરૂમાં કાંઈક પ્રમાણમાં હોવાથી એ આકાશતત્વી છે. ગુરૂ સ્વરુપ ચિતશક્તિ અને તેજોરૂપી આનંદ આપનાર હોવાથી અને સચિદાનંદ કહેવાય છે. ગુરૂનાં અધિષ્ઠમાં હોય તો જ શાંતતા, સૌખ્ય. સમાધી મળે તેથી પ્રત્યેક કાર્યમાં ગુરૂની સહાય લેવી પડે. ગુરુ જેવો માતા નથી, શનિ જેવો દાતા નથી, મંગળ જેવો મિત્ર નથી. ગુરૂ નામ પ્રમાણે વિદ્યા અને જ્ઞાન આપે છે. ગુરૂની ઉષ્ણતા રવિ જેવી પ્રખર નથી, મંગળ જેવી પીડાકારક નથી પોષક છે. તેથી ગુરૂ એ રક્ષકગ્રહ છે. ગુરૂને સૌથી વધુ કારકત્વ છે. ગુરૂ એ મહાસાગર જેવો છે, શુક્ર એ નદી જેવો છે, બુધ એ નાળા જેવો છે. સર્વ શુભ ગ્રહોનો રાત્રી ગુરૂ છે, સર્વ પાપ ગ્રહોનો રાત્રી શનિ છે, શુક્ર ગુરૂ પાસે નિ:સ્તેજ બને છે. પૂર્ણ ચંદ્ર, શુક્ર કરતાં બળવાન છે. પૂર્ણ ચંદ્ર ગુરૂના નિચે શુભ છે. પણ ગુરૂમાં કેંદ્રાધિપત્ય દોષ છે. સમકે સપ્તમેશ ગુરૂએ બાધક હોય છે પણ તેથી ગુરૂની મહત્તા ઓછી થતી નથી.. ચંદ્ર ગુરૂ આ શ્રેષ્ઠ ગજકેસરી યોગ છે. ચંદ્ર શુક્ર યુતિ શ્રેષ્ઠ યોગ બને છે પણ ગુરૂએ શોખીન પ્રવૃત્તિનો શત્રુ છે. તેથી ગુરૂ એ શુક્રને શત્રુ માને છે. ગુરુએ કર્કરાશિમાં ઉચ્ચ છે. કર્ણએ ચંદ્રની રાશિ છે. ચંદ્ર ગુરૂની કિંમત સમજે છે તેથી જ તેને પોતાની રાશિ આપી છે. મકરએ ગુરૂની નીચ સેવકની રાશિ છે તેથી ગુરૂનું ડહાપણ આ રાશિમાં દબાએલ છે. મંગલની રાશિમાં ગુરૂને પોતાની રાશિ છે એમ લાગે છે કેમકે મંગળજો દૂર હોય તોય સરળ પ્રવૃત્તિ કરે છે. ગુરૂ દુષિત હોય ત્યારે જાતકને સારૂ કે નરસુ કોઈ ફળ ન આપે. તટસ્થ રહે છે. ગુરૂ જો કુંડલીમાં શુભ હોય તો તે મોટા સંકટોને સહજ પાર કરે છે. ૯ મું ભાગ્ય સ્થાન એ ગુરૂનું ગમતુ સ્થાન હોવાથી ગુરૂનો ભાગ્યસ્થાન કે ભાગ્યેશ સાથે સારો સંબંધ જરૂરી છે. તેથી દૈવકારક બનાવો કરે છે. ગુરૂ પુરૂષ શશિમાં હોય તો પુત્ર સંતતિ અયિક થાય. ગુરૂ કેંદ્ર ત્રિકોણમાં કે અષ્ટમમાં પૂર્ણ આયુષ્ય આપે છે. ગુરૂની ચઢતા ક્રમે શશિ મકર, કન્યા, વૃષભ, મિથુન, તુલા, કુંભ, વૃશ્ચિક, મેષ, સિંહ, મીન ધનુ અને કી. ભાવ પરત્વે ૩, ૮, ૧૨, ૬, ૭, ૮, ૧૦, ૨, ૧૧, ૧, ૫ અને ૯ શુભત્વ જાણવું. શેગા રક્તવિકાર, યકૃતવિકાર, કમળ, મેદવૃદ્ધિ માથામાં લોહી જામવું પેઢા ત્રાસ, નાકનું હઠું વધુવું, પેશાબ વિકાર, મધુમેહ, ત્વચારોગ,
SR No.008460
Book TitleJyotirmahodaya
Original Sutra AuthorN/A
AuthorAkshayvijay
PublisherAkshayvijay
Publication Year
Total Pages113
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Devotion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy