SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ વિન્મુખાદિ બ્લેકેની સમજુતિ અને આઠ પગ જે નક્ષત્ર થાય તેની વિગત, આઠ ઉપગ્રહ દોષની સંખ્યા નામ અને તેનું ફલ. રવિયાથી પાંચમું થાય છે તેનું નામ વિન્મુખ થાય છે. આ પ્રહમાં વિવાહાદિ કાર્ય કરવાથી પુત્રનું મરણ થાય છે. રવિયાથી આઠમું થાય તે શલ ગ્રહ થાય છે. આ ગ્રહમાં કાર્ય કરવામાં આવે તે પતિનું મરણ થાય અને સંતાનને ધાત થાય. રવિયાથી ચૌદમું થાય તે અશનિ ગ્રહ થાય. આ ગ્રહમાં કાર્ય કરવામાં આવે તો દશ દિવસમાં જ વજપાત થાય પાઠાંતરે પતિના વંશને ઘાત થાય. રવિયાથી અઢારમું થાય તે કેતુ ગ્રહ થાય. આ ગ્રહમાં નાનાભાઈ (દિયેર) સષ્ઠિત પતિને ઘાત થાય. રવિયાથી ઓગણીશમું થાય તે ઉલ્કાગ્રહ થાય. આ ગ્રહમાં ધનને નાશ થાય. રવિયાથી બાવીશમું થાય તે વગ્રહ થાય. આ ગ્રહમાં શીલપણું થાય અને સ્ત્રીના ભાઈને નાશ થાય. રવિયાથી તેવીશકું આવે તે કંપગ્રહ થાય. આ પ્રહમાં સ્થાનભ્રષ્ટ થાય, રવિયાથી ચાવીશમું થાય તે નિર્ધાત ગ્રહ થાય. આ ગ્રહમાં કુલનો નાશ થાય અને સ્ત્રી વ્યભિચારિણી થાય છે. બારમાંથી બાકીના ૭-૧૫-૨૧ અને ૨૫ ના આંકવાળા ચાર ઉપગ્રહે અનિષ્ટ ફલને આપનાર છે. વળી ૮૧ પદના નામવાળા (સર્વતોભદ્રચ) વેધ ચકાદિકમાં પણ આ રીતે જ ઉપગ્રહનું ફલ જાણવું.
SR No.008417
Book TitleHirkalash Jain Jyotish
Original Sutra AuthorN/A
AuthorHimmatram Mahashankar Jani
PublisherKunvarji Hirji Naliya
Publication Year
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati & Jyotish
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy