________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૨૫ ]
મહેલ તરફ ચાલી, તેની સખી પણ પડછાયાની જેમ તેની સાથે ચાલી. પિતાના મહેલના દરવાજે પહોંચ્યા.. ને જ્યાં અંદર પ્રવેશ કરવા જાય છે ત્યાં દ્વા૨પાળે તેને રોકી; દુઃખને લીધે તેનું રૂપ એવું થઇ ગયેલું કે દ્વારપાળ તેને ઓળખી ન શક્યો !
(૨
સંસાર! તરીકે જે
રાજકુંવરી
પણ મહેલમાં ઊછરી, તે જ
મહેલમાં જતાં આજે
દરવાન તેને રોકી રહ્યો
છે!! સંસારમાં પુણ્ય-પાપનું ચક્ર આવું જ છે!!)
જ્યારે સખીએ બધી વાત કરી ત્યારે દ્વારપાળે દરવાજા ઉપર બીજા માણસને રાખીને, પોતે અંદર જઇ ને રાજાને પુત્રીના આગમનની વાત કરી. તે સાંભળતાં જ રાજાએ પોતાના પ્રસન્નકીર્તિ નામના પુત્રને આજ્ઞા કરી કે તમે તેની સામે જાઓ, તેને જલદી નગરમાં પ્રવેશ કરાવો, ને નગરીની શોભા કરાવો. તમે આગળ જઇને તૈયારી કરાવો, હું પાછળથી આવું છું.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com