________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૧૦ ]
પ્રકારની સામગ્રી લાવે છે પણ આને કાંઈ સુહાવતું નથી, પતિ-વિયોગથી ચક્રની જેમ મન ભ્રમિત થઈ ગયું છે, સ્નાન કરતી નથી, કેશ ગૂંથતી નથી; સર્વ ક્રિયામાં જડ જેવી હોવાથી જાણે કે પૃથ્વી હોય, નિરંતર અશ્રુપ્રવાહ વરસતો હોવાથી જાણે કે જલરૂપ હોય, હૃદયના દાહને લીધે જાણે કે અગ્નિરૂપ હોય, નિશ્ચલ ચિત્તથી જાણે કે વાયુરૂપ હોય, અને ચિત્તની શૂન્યતાથી જાણે કે ગગનરૂપ હોય! મોહને લીધે જ્ઞાન પણ આચ્છાદિત થઇ ગયું છે, સર્વ અંગ એવા શિથિલ થઈ ગયા છે કે બેસી ન શકે, બેસે તો ઊઠી ન શકે, ઊઠે તો શરીરને થંભાવી ન શકે, સખીજનનો હાથ પકડીને ચાલે ત્યાં પગ ડગી જાય. ચતુર સખીઓની સાથે બોલવાની ઈચ્છા કરે પરંતુ બોલી ન શકે, પક્ષીઓ સાથે ક્લોલ કરવા ચાહે પણ કરી ન શકે. એ બિચારી બધાયથી ન્યારી સૂનમૂન બેસી રહે. એનું ચિત્ત અને નેત્રો પતિમાં જ લાગેલાં છે. નિષ્કારણ પતિથી તરછોડાઈ ગઇ, તેથી એકેક દિવસ એક વરસ જેવો જાય છે. એની આવી હાલત દેખીને બધો પિરવાર વ્યાકુળ થઈને એમ ચિંતવે છે કે અરેરે, આવું દુઃખ આને કેમ થયું? આ કોઈ પૂર્વોપાર્જિત પાપકર્મનો ઉદય છે; પાછલા જન્મમાં આણે કોઇ દેવ-ગુરુની વિરાધના કરી હશે! વાયુકુમાર તો નિમિત્તમાત્ર છે. આ બાળી-ભોળીને પરણીને તરત જ કેમ તજી દીધી ? એણે પિતાના ઘરે કદી પંચમાત્ર દુ:ખ દેખ્યું નથી, અને અત્યારે દુઃખના ભારને પામી છે. એવી સખીઓ વિચારે છે કે અમે શું ઉપાય કરીએ !! અમે ભાગ્યહીન છીએ,
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com