________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨: વિયોગ અને સંયોગ
પવનંજયકુમાર અંજનીસુંદરીને પરણીને એવી છોડી દીધી કે કયારેય વાત પણ ન કરે. તે સુંદરી, પતિના અબોલડાથી અને કૃપાદૃષ્ટિએ ન દેખવાથી પરમ દુઃખી થતી; રાત્રે નિદ્રા પણ ન લેતી, આંખમાંથી નિરંતર આંસુ ઝરતા, શરીર મલિન થઈ ગયું પતિ પ્રત્યે ઘણો સ્નેહ, પતિનું નામ પણ સુહાવે, તે તરફનો પવન આવે તે પણ પ્રિય લાગે; પતિનું રૂપ તો વિવાહે વખતે વેદીમાં દેખ્યું હતું, તેનું મનમાં ચિંતન કરે, નિશ્ચલ નયને સર્વ ચેષ્ટા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com