________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૬] રોષપૂર્વક પોતાના સ્થાને પાછો આવ્યો, પણ તેનું ચિત્ત અંજના પ્રત્યેથી તદ્દન ઊઠી ગયું ને તેને દૂરથી જ છોડી દેવાનો વિચાર કર્યો.
(જાઓ, વિભાવની વિચિત્રતા! થોડા વખત પહેલાં તો જેને દેખ્યા વગર ક્ષણ પણ રહી શકાતું ન હતું તેનાથી એકદમ એવી ઉદાસીનતા થઈ ગઈ કે તેનું મોઢું જોવું પણ નથી ગમતું. -રે સંસાર!!)
પોતાના સ્થાને આવ્યા પછી કુમારે પ્રહસ્ત મિત્રને કહ્યું કે-આપણા સ્થાનથી અંજનીનું સ્થાન નજીક છે, તેથી અહીં નથી રહેવું તેને સ્પર્શીને પવન આવે છે તે મને નથી ગમતો. માટે ચાલો આપણે અહીંથી ચાલ્યા જઇએ, ઢીલ કરવી ઉચિત નથી. કુમારની આજ્ઞા થતાં જ સેનાએ પ્રયાણની તૈયારી કરી. હાથી-ઘોડા-રથ-પાયદળ વગેરે સેનાનો કોલાહલ થયો. અંજનીનું નિવાસસ્થાન નજીકમાં જ હતું. કુમારની સેનાના પ્રયાણનો કોલાહલ સાંભળતાં તેના મનમાં વવાત જેવું દુ:ખ થયું: હાય ! શું કરું! હવે શું થશે!! મારો કોઈ અપરાધ દેખાતો નથી. પણ મિશ્રકેશીએ નિંદાના વચન કહેલા, તેની કદાચ કુમારને ખબર પડી હોય! તેથી મારા પ્રાણવલ્લભ મારા ઉપર કૃપારહિત થઈ ગયા ને મને છોડીને ચાલ્યા જાય છે! મારા નાથ મારો પરિત્યાગ કરશે તો હું આહારનો ત્યાગ કરીને શરીર તજીશ...એમ ચિંતવન કરતાં કરતાં અંજની મૂછ ખાઇને પૃથ્વી પર પડી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com