________________
$03
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ
એકસો છમું પર્વ નામનો વિદ્યાધર થયો તે નિદાન સહિત તપ કરી ત્રીજા સ્વર્ગમાં જઈ રામનો નાનો ભાઈ અત્યંત સ્નેહવાળો લક્ષ્મણ થયો અને પૂર્વના વેરના યોગથી રાવણને માર્યો. શંભુએ વેદવતી પ્રત્યે વિપરીત આચરણ કર્યું હતું. તેથી સીતા રાવણના નાશનું કારણ થઈ. જે જેને હણે તે તેનાથી હણાય. ત્રણ ખંડની લક્ષ્મીરૂપ રાત્રિના ચંદ્રમાં રાવણને હણી લક્ષ્મણ સાગરાંત પૃથ્વીનો અધિપતિ થયો. રાવણ જેવો શૂરવીર આ પ્રમાણે મરાય એ કર્મોનો દોષ છે. દુર્બળમાંથી સબળ થાય, સબળ દુર્બળ બની જાય અને ઘાતક હોય તે હણાય અને હણાયો હોય તે ઘાતક બની જાય સંસારના જીવોની આ જ ગતિ છે. કર્મની ચેષ્ટાથી કોઈ વાર સ્વર્ગનાં સુખ મેળવે, કોઈ વાર નરકનાં દુઃખ મેળવે. જેમ કોઈ સ્વાદિષ્ટ ઉત્તમ અન્નમાં વિષ મેળવી દૂષિત કરે, તેમ મૂઢ જીવ ઉગ્ર તપને ભોગવિલાસથી દૂષિત કરે છે. જેમ કોઈ કલ્પવૃક્ષને કાપી કોદરીના ખેતરની વાડ કરે અને વિષના વૃક્ષને અમૃતરસથી સીંચે અને રાખ મેળવવા માટે રત્નોની રાશિ બાળી નાખે અને કોલસા મેળવવા મલયાગિરિ ચંદનને બાળી નાખે, તેમ નિદાનબંધ કરી તપને આ અજ્ઞાની દૂષિત કરે છે. આ સંસારમાં બધા દોષની ખાણ સ્ત્રી છે, તેના અર્થે અજ્ઞાની કયા કુકર્મ નથી કરતો? આ જીવે જે કર્મ ઉપામ્યું હોય તે અવશ્ય ફળ આપે છે. કોઈ અન્યથા કરવાને સમર્થ નથી. જે ધર્મમાં પ્રીતિ કરે અને પાછળથી અધર્મ ઉપાર્જ તે કુગતિ પામે છે, તેની ભૂલ શું કહીએ? જે સાધુ થઈને મદ મત્સર કરે છે તેને ઉગ્ર તપથી મુક્તિ નથી. જેને શાંત ભાવ નથી, સંયમ નથી, તપ નથી તે દુર્જન મિથ્યાષ્ટિને સંસારસાગર તરવાનો ઉપાય ક્યો હોય? જેમ પ્રલયના પવનથી મદોન્મત્ત ગજેન્દ્ર ઊડી જાય તો સસલું ઊડી જાય તેમાં આશ્ચર્ય શાનું? તેમ સંસારની જૂઠી માયામાં ચક્રવર્તી આદિ મોટા પુરુષો ભૂલ ખાઈ જાય તો નાના મનુષ્યોની શી વાત છે? આ જગતમાં પરમદુઃખનું કારણ વેરભાવ છે તે વિવેકી ન કરે, જેને આત્મકલ્યાણની ભાવના હોય તે પાપની કરનારી વાણી કદી ન બોલે. ગુણવતીના ભવમાં મુનિનો અપવાદ કર્યો હતો અને વેદવતીના ભવમાં એક મંડલિકા નામના ગ્રામમાં સુદર્શન નામના મુનિવનમાં આવ્યા. લોકો વંદના કરી પાછા ગયા અને મુનિની બહેન સુદર્શના નામની આર્થિકા મુનિ પાસે બેસી ધર્મશ્રવણ કરતી હતી તે વેદવતીએ જોયું અને ગામના લોકો સમક્ષ મુનિની નિંદા કરી કે મેં મુનિને એકલી સ્ત્રીની પાસે બેઠેલા જોયા. ત્યારે કેટલાકે વાત માની અને કેટલાક બુદ્ધિમાનોએ ન માની, પરંતુ ગામમાં મુનિનો અપવાદ થયો. ત્યારે મુનિએ નિયમ લીધો કે આ જૂઠો અપવાદ દૂર થાય તો આહાર માટે નીકળવું, નહિતર નહિ. તે વખતે નગરની દેવીએ વેદવતીના મુખે સમસ્ત ગામના લોકોને કહેવરાવ્યું કે મેં જૂઠો અપવાદ કર્યો હતો. એ ભાઈ બહેન છે અને મુનિની પાસે જઈને વેદવતીએ ક્ષમા માગી કે હે પ્રભો ! મેં પાપિણીએ મિથ્યા વચન કહ્યાં તો ક્ષમા કરો. આ પ્રમાણે મુનિની નિંદાકરી તેથી સીતા ઉપર જૂઠું આળ આવ્યું અને મુનિની ક્ષમા માગી તેથી તેનો અપવાદ દૂર થયો. માટે જે જિનમાર્ગી છે તે કદી પણ પરનિંદા ન કરે, કોઈમાં સાચો દોષ હોય તો પણ જ્ઞાની ન કહે. કોઈ કહેતો હોય તેને રોકે, બીજાનો દોષ સર્વથા ઢાંકે. જે કોઈ પરનિંદા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com