________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૨૮ નેવુંમું પર્વ
પદ્મપુરાણ નેવુંમું પર્વ (મથુરામાં અસુરેન્દ્રકૃત ઉપદ્રવથી લોકોમાં વ્યાકુળતા) અસુરકુમારોના ઇન્દ્ર ચમરેન્દ્રનું આપેલું જે ત્રિશૂળરત્ન મધુ પાસે હતું તેના અધિષ્ઠાતા દેવ ત્રિશૂળ લઈને ચમરેન્દ્રની પાસે ગયા અને ખેદખિન્ન તથા લજ્જિત થઈને મધુના મરણના સમાચાર ચમરેન્દ્રને કહેવા લાગ્યા. મધુ સાથે તેથી ગાઢ મૈત્રી હતી તેથી તે પાતાળમાંથી નીકળી અત્યંત ગુસ્સે થઈને મથુરામાં આવવા તૈયાર થયા. તે વખતે ગરુડન્દ્ર અસુરેન્દ્રની પાસે આવી પૂછયું હે દૈત્યેન્દ્ર? કઈ તરફ જવા તૈયાર થયા છો ? ત્યારે અમરેન્દ્ર કહ્યું, જેણે મારા મિત્ર મધુને માર્યો છે તેને કષ્ટ દેવા તૈયાર થયો છું ત્યારે ગરુડન્ટે કહ્યું કે શું તમે વિશલ્યાનું માહાભ્ય સાંભળ્યું નથી? ત્યારે અમરેન્દ્ર કહ્યું કે તે અભુત અવસ્થા વિશલ્યાની કૌમાર અવસ્થામાં જ હતી, હવે તો તે નિર્વિષ ભુજંગી સમાન છે. જ્યાં સુધી વિશલ્યાએ વાસુદેવનો આશ્રય લીધો નહોતો ત્યાં સુધી બ્રહ્મચર્યના પ્રસાદથી તેનામાં અસાધારણ શક્તિ હતી, હવે તેનામાં તે શક્તિ નથી. જે નિરતિચાર બાળબ્રહ્મચર્ય પાળે તેના ગુણનો મહિમા કથનમાં ન આવે, શીલના પ્રસાદથી સુર-અસુરપિશાચાદિ બધા ડરે. જ્યાં સુધી શીલરૂપી ખડગ ધાર્યું હોય ત્યાં સુધી કોઈથી જીતી ન
ય. હવે વિશલ્લા પતિવ્રતા છે. પણ બ્રહ્મચારિણી નથી. માટે તેનામાં તે શક્તિ નથી. મધ, માંસ, મૈથુન એ મહાપાપ છે, એના સેવનથી શક્તિનો નાશ થાય છે. જેમના વ્રતશીલ-નિયમરૂપ કોટનો ભંગ થયો ન હોય તેમને કોઈ વિધ્ર કરવાને સમર્થ નથી. એક કાલાગ્નિ નામનો મહાભયંકર રુદ્ર થયો તે હું ગરુડેન્દ્ર! તમે સાંભળ્યું જ હશે. પછી તે સ્ત્રી પ્રત્યે આસક્ત થઈ નાશ પામ્યો. તેથી વિષયનું સેવન વિષ કરતાં પણ વિષમ છે. પરમ આશ્ચર્યનું કારણ એક અખંડ બ્રહ્મચર્ય છે. હવે હું મારા મિત્રના શત્રુ ઉપર ચડીશ, તમે તમારા સ્થાનકે જાવ. ગરુડન્દ્રને આમ કહીને ચમરેન્દ્ર મથુરા આવ્યા. મિત્રના મરણથી ક્રોધે ભરાયેલા તેણે મથુરામાં તેવો જ ઉત્સવ જોયો, જેવો મધુના સમયે હતો. અસુરેન્દ્ર વિચાર્યું કે આ લોકો મહાદુષ્ટ કૃતધ્ર છે, દેશનો સ્વામી પુત્રસહિત મરી ગયો છે અને બીજા આવીને બેઠો છે તો એમને શોક થવો જોઈએ કે હર્ષ? જેના બાહુની છાયા પામીને ઘણા કાળ સુધી જે સુખમાં રહ્યા તે મધુના મૃત્યુનું દુઃખ એમને કેમ ન થયું? આ મહાકૃતધ્ર છે, માટે કૃતધ્રનું મુખ પણ ન જોવું. લોકો વડે શૂરવીર સેવવા યોગ્ય છે. અને શુરવીર વડ પંડિત સેવવા યોગ્ય છે. પંડિત કોણ કહેવાય? જે પારકાના ગુણ માને તે તો કૃત મહામૂર્ખ છે, આમ વિચારીને મથુરાના લોકો પર ચમરેન્દ્ર કોપ્યો, આ લોકોનો નાશ કરું, આ દેશ સહિત મથુરાપુરીનો નાશ કરું. આમ અત્યંત ક્રોધે ભરાઈને અસુરેન્દ્ર લોકો પર દુસ્સહ ઉપસર્ગ કર્યો, લોકોને અનેક રોગ થયા, પ્રલયકાળના અગ્નિ સમાન નિર્દય થઈને લોકરૂપ વનને ભસ્મ કરવા તૈયાર થયો. જે જ્યાં ઊભા હતા તે ત્યાં જ મરી ગયા, જે બેઠા હતા તે બેઠેલા જ રહી ગયા, સૂતા હતા તે સૂતા જ રહી ગયા, મરી ફેલાઈ ગઈ. લોકો ઉપર ઉપસર્ગ જોઈને મિત્ર કુળદેવતાના ભયથી શત્રુઘ્ર અયોધ્યા આવ્યો.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com