________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ૨૪ નેવ્યાસીમું પર્વ
પદ્મપુરાણ તે સિદ્ધ પરમેષ્ઠી જે અષ્ટકર્મથી રહિત છે, અષ્ટગુણ આદિ અનંત ગુણોથી બિરાજમાન લોકના શિખર પર બિરાજે છે તે તને સિદ્ધિના કર્તા થાવ. ભવ્ય જીવોના પરમ આધાર આચાર્ય તારાં વિઘ્ન દૂર કરો, જે કમળ સમાન અલિત છે, સૂર્ય સમાન તિમિરના હર્તા છે, ચંદ્રમા સમાન આહલાદના કર્તા છે, ભૂમિ સમાન ક્ષમાવાન છે, સુમેરુ સમાન અચળ અને સમુદ્ર સમાન ગંભીર છે. જિનશાસનના પારગામી ઉપાધ્યાય તમારા કલ્યાણના કર્તા થાવ. કર્મશત્રુને જીતવામાં મહા શૂરવીર, બાર પ્રકારનાં તપથી જે નિર્વાણને સાધે છે, તે સાધુ અને તને મહાવીર્યના દાતા થાવ. આ પ્રમાણે વિપ્ન હરનાર, મંગળકારી માતાએ આશિષ આપી તે શત્રુઘ્ન માથે ચડાવી માતાને પ્રણામ કરી બહાર નીકળ્યો. સોનાની સાંકળથી મંડિત હાથી પર બેઠો. નાના પ્રકારનાં વાહનો પર આરૂઢ અનેક રાજા તેની સાથે ચાલ્યા. તે દેવોથી મંડિત દેવેન્દ્ર જેવો શોભતો હતો. રામ-લક્ષ્મણની ભાઈ ઉપર ઘણી પ્રીતિ હતી તેથી ત્રણ મુકામ સુધી ભાઈની સાથે ગયા. પછી ભાઈએ કહ્યું- હે પૂજ્ય પુરુષોત્તમ! પાછા અયોધ્યા જાવ, મારી ચિંતા ન કરો, હું આપના પ્રસાદથી શત્રુઓને નિઃસંદેહ જીતીશ. પછી લક્ષ્મણે સમુદ્રાવર્ત નામનું ધનુષ આપ્યું. પવન સરખા વેગવાળા બાણ આપ્યાં અને કૃતાંતવક્રને સાથે મોકલ્યો. લક્ષ્મણ સાથે રામ અયોધ્યા પાછા આવ્યા, પરંતુ ભાઈની ચિંતા વિશેષ હતી.
પછી શત્રુઘ્ન મહાધીરવીર મોટી સેના સાથે મથુરા તરફ ગયો. અનુક્રમે યમુના નદીના કાંઠે જઈને મુકામ કર્યો. સૂક્ષ્મ બુદ્ધિવાળા મંત્રીઓ ત્યાં મંત્રણા કરવા લાગ્યા. જુઓ! આ બાળક શત્રુઘ્નની બુદ્ધિ કે મધુને જીતવાની ઇચ્છા કરી છે. એ રાજનીતિથી અજાણ ફક્ત અભિમાનથી પ્રવર્યો છે. જે મધુએ પહેલાં રાજા માંધાતાને રણમાં જીત્યો હતો તે મધુ દેવો કે વિધાધરોથી જિતાય તેવો નથી, તેને આ કેવી રીતે જીતશે? રાજા મધુ સાગર સમાન છે, ઊછળતા યાદ તેની લહેરો છે, શત્રુઓરૂપી મગરથી પૂર્ણ મધુસમુદ્રને શત્રુઘ્ર ભુજાઓ વડ તરવા ઇચ્છે છે તે કેવી રીતે તરશે? મધુ ભૂપતિ ભયાનક વન સમાન છે તેમાં પ્રવેશીને કોણ જીવતો નીકળે? પ્યાદાના સમૂહરૂપી વૃક્ષ, મત્ત હાથીઓથી ભયંકર અને અશ્વોના સમૂહરૂપ મૃગ જ્યાં ફરે છે તેવું વન છે. મંત્રીઓના આ વચન સાંભળી કૃતાંતવકે કહ્યું, તમે સાહસ છોડી આવાં કાયરતાનાં વચન કેમ બોલો છો? જોકે રાજા મધુ ચમરેન્દ્ર આપેલા અમોઘ ત્રિશૂળથી અતિ ગર્વિત છે તો પણ તે મધુને શત્રુદ્ઘ અવશ્ય જીતશે; જેમ હાથી બળવાન હોય છે અને સૂંઢથી વૃક્ષોને ઉખાડી નાખે છે, મદ ઝરે છે તો પણ સિંહું તેને જીતે છે. આ શત્રુઘ્ર લક્ષ્મી અને પ્રતાપથી મંડિત છે, બળવાન છે, મહાપંડિત છે, પ્રવીણ છે અને શ્રી લક્ષ્મણ એના સહાયક છે, વળી આપ સૌ ભલા માણસો તેની સાથે છો તેથી આ શત્રુદ્ઘ અવશ્ય શત્રુને જીતશે. કૃતાંતવકે આવા વચન કહ્યાં ત્યારે બધા રાજી થયા. અને મંત્રીઓએ પહેલાં જ મથુરામાં જે ગુપ્તચરો મોકલ્યા હતા તે આવીને શત્રુઘ્રને બધા સમાચાર આપવા લાગ્યા. હે દેવ! મથુરાનગરીની પૂર્વ દિશામાં અત્યંત મનોજ્ઞ ઉપવન છે ત્યાં રણવાસ સહિત રાજા મધુ રમે છે. રાજાને જયંતી નામની પટરાણી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com