________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ એકસઠમું પર્વ
૪૩૩ આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં રામ-લક્ષ્મણને અનેક વિધાનું વર્ણન કરનાર સાઠમું પર્વ પૂર્ણ થયું.
* * *
એકસઠમું પર્વ (સુગ્રીવ-ભામંડળનું નાગપાશથી બંધનમુક્ત થવું) રામ-લક્ષ્મણ બન્ને વીરો તેજના મંડળના મધ્યમાં રહેતા લક્ષ્મીના નિવાસરૂપ લક્ષણ ધરતાં મહામનોજ્ઞ કવચ પહેરી સિંહવાહન, ગરુડવાહન પર ચડી સેનાસાગરની મધ્યમાં સિંહ અને ગરુડની ધ્વજા ફરકાવતા શત્રુપક્ષનો ક્ષય કરવા તૈયાર થઈ રણની મધ્યમાં દાખલ થયા. આગળ આગળ લક્ષ્મણ ચાલ્યા જાય છે, દિવ્ય શસ્ત્રના તેજથી સૂર્યના તેજને ઢાંકી દેતા, હનુમાનાદિ મોટા મોટા વાનરવંશી યોદ્ધાઓથી મંડિત દેવ સમાન રૂપ ધારી બાર સૂર્યની જેવી જ્યોતિ સહિત લક્ષ્મણને વિભીષણે જોયો. તે જગતને આશ્ચર્ય ઉપજાવે એવા તેજથી મંડિત ગરુડવાહનના પ્રતાપથી ભામંડળ અને સુગ્રીવના નાગપાશનું બંધન દૂર થયું. ગરુડની પાંખોનો પવન ક્ષીરસાગરના જળને ખળભળાવે છે તેથી તે સર્પ વિખરાઈ ગયા, જેમ સાધુઓના પ્રતાપે કુભાવ મટી જાય છે. ગરુડની પાંખોની કાંતિથી લોક સુવર્ણના રસથી બનાવ્યા હોય એવા થઈ ગયા. ભામંડળ અને સુગ્રીવ નાગપાશથી છૂટીને વિશ્રામ પામ્યા, જાણે કે સુખનિદ્રામાંથી જાગીને અધિક શોભવા લાગ્યા. પછી એમને જોઈને શ્રીવૃક્ષ, પ્રથાદિક બધા વિદ્યાધરો વિસ્મય પામ્યા અને સર્વ શ્રી રામલક્ષ્મણની પૂજા કરી વિનંતી કરવા લાગ્યા કે હે નાથ ! આપની આજ જેવી વિભૂતિ અમે અત્યાર સુધીમાં કદી જોઈ નથી. આપનાં વાહન, વસ્ત્ર, સંપદા, છત્ર, ધ્વજમાં અદ્ભુત શોભા દેખાય છે. પછી શ્રી રામે અયોધ્યાથી તેઓ નીકળ્યા ત્યારથી માંડીને સર્વ વૃત્તાંત કહ્યો, કુલભૂષણ-દેશભૂષણનો ઉપસર્ગ દૂર કર્યો તે સર્વ વૃત્તાંત કહ્યો, તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું અને કહ્યું કે અમારા ઉપર ગરુડન્દ્ર તુષ્ટ થયા અને હમણાં અમે એમનું ચિંતવન કર્યું, તેમનાથી આ વિદ્યાની પ્રાપ્તિ થઈ છે. તેઓ આ કથા સાંભળીને ખૂબ પ્રસન્ન થયા. તે કહેવા લાગ્યા કે આ જ ભવમાં સાધુની સેવા કરવાથી પરમ યશ મળે છે. અને ઉદાર ચેષ્ટા થાય છે, પુણ્યની વિધિ પ્રાપ્ત થાય અને સાધુની સેવાથી જેવું કલ્યાણ થાય છે તેવું કલ્યાણ માતાપિતા, ભાઈ, મિત્ર કે કોઈ જીવો કરતાં નથી. જેમણે સાધુની સેવામાં અથવા પ્રશંસામાં ચિત્ત જોયું છે, જેમને જિનેન્દ્રમાર્ગની ઉન્નતિમાં શ્રદ્ધા ઉપજી છે એવા રામ બળભદ્ર નારાયણનો આશ્રય લઈને મહાન વિભૂતિથી શોભ્યા. ભવ્યજીવરૂપ કમળને પ્રફુલ્લિત કરનારી આ પવિત્ર કથા સાંભળીને એ બધા જ આનંદના સાગરમાં ડૂબી ગયા અને શ્રી રામ-લક્ષ્મણની સેવામાં અત્યંત પ્રેમ બતાવવા લાગ્યા. ભામંડળ અને સુગ્રીવ મૂર્છારૂપ નિદ્રામાંથી જાગીને શ્રી ભગવાનની પૂજા કરવા લાગ્યા, તે વિદ્યાધરો શ્રેષ્ઠ દેવો સમાન ધર્મમાં સર્વ પ્રકારે શ્રદ્ધા કરવા લાગ્યા. જે પુણાધિકારી જીવ છે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com