________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૮ વીસમું પર્વ
પદ્મપુરાણ તે પદ ભવ્ય જીવ પામે છે. તે બધું જીવદયારૂપ વેલનું ફળ છે. ભવ્ય જીવ કર્મરૂપ કુંજરને માટે શાર્દૂલ સમાન છે. વળી રામ એટલે કે બળભદ્ર તથા કેશવ એટલે નારાયણનાં પદ જે ભવ્ય જીવ પામે છે તે બધું ધર્મનું ફળ છે.
હે શ્રેણિક ! આગળ વાસુદેવોનું વર્ણન કરીએ છીએ. આ અવસર્પિણી કાળના ભરત ક્ષેત્રના નવ વાસુદેવ છે. પ્રથમ તેમના પૂર્વભવની નગરીઓના નામ સાંભળો. હસ્તિનાગપુર, અયોધ્યા, શ્રાવસ્તી, કૌશાંબી, પોદનાપુર, શૈલનગર, સિંહપુર, કૌશાંબી અને હસ્તિનાગપુર. આ નવેય નગર બધા પ્રકારના દ્રવ્યોથી ભરેલાં છે અને ઈતિ-ભીતિરહિત છે. હવે વાસુદેવોના પૂર્વભવોનાં નામ સાંભળો. વિશ્વાનંદી, પર્વત, ધનમિત્ર, સાગરદત્ત, વિકટ, પ્રિયમિત્ર, માનચેષ્ટિત, પુનર્વસુ અને ગંગદેવ જેને નિર્ણામિક પણ કહે છે. નવેય વાસુદેવોના જીવ પૂર્વભવમાં વિરૂપ, દુર્ભાગી અને રાજ્યભ્રષ્ટ હોય છે, તે મુનિ થઈને મહાતપ કરે છે. નિદાનના યોગથી સ્વર્ગમાં દેવ થાય છે અને ત્યાંથી ચ્યવીને બળભદ્રના નાના ભાઈ વાસુદેવ થાય છે. માટે તપ કરીને નિદાન કરવું તે જ્ઞાનીઓ માટે વર્જ્ય છે. નિદાન નામ ભોગવિલાસનું છે, તે અત્યંત ભયાનક દુઃખ દેવામાં પ્રવીણ છે. હવે એમના પૂર્વભવના ગુરુઓનાં નામ સાંભળો, જેમની પાસેથી તેમણે મુનિવ્રત લીધા હતા. સંભૂત, સુભદ્રવસુદર્શન, શ્રેયાંસ, ભૂતિસંગ, વસુભૂતિ, ઘોષસેન, પરાંભોધિ, તુમસેન. હવે જે જે સ્વર્ગમાંથી આવીને વાસુદેવ થયા હતા તેમના નામ સાંભળો, શુક, મહાશુક, લાંતવ, સહસ્ત્રાર, બ્રહ્મ, માહેન્દ્ર, સૌધર્મ, સનકુમાર, મહાશુક. હવે વાસુદેવોની જન્મપુરીનાં નામ સાંભળો. પોદનાપુર, દ્વાપર, હસ્તિનાગપુર, હસ્તિનાગપુર, ચક્રપુર, કુશાગ્રપુર, મિથિલાપુર, અયોધ્યા, મથુરા. આ નગરો સમસ્ત ધન-ધાન્યથી પૂર્ણ અને ઉત્સવોથી ભરપૂર છે. વાસુદેવના પિતાનાં નામ સાંભળો. પ્રજાપતિ, બ્રહ્મભૂત, રૌદ્રનંદ, સૌમ, પ્રખ્યાત, શિવાકર, દશરથ, વસુદેવ. આ નવ વાસુદેવોની માતાનાં નામ સાંભળો. મૃગાવતી, માધવી, પૃથિવી, સીતા, અંબિકા, લક્ષ્મી, કેશિની, સુમિત્રા અને દેવકી. આ માતાઓ અતિ રૂપગુણથી મંડિત, મહા સૌભાગ્યવતી અને જિનમતિ છે. નવ વાસુદેવના નામ સાંભળો. ત્રિપૃષ્ટ, દ્વિપૃષ્ટ, સ્વયંભૂ, પુરુષોતમ, પુરુષસિંહ, પુણ્ડરિક, દત્ત, લક્ષ્મણ, કૃષ્ણ. હવે નવ વાસુદેવની પટરાણીઓનાં નામ સાંભળો. સુપ્રભાવતી, રૂપિણી, પ્રભવા, મનોહરા, સુત્રા, વિમળસુંદરી, આનંદવતી, પ્રભાવતી, રુકિમણી. આ બધી ગુણ-કળામાં નિપુણ, ધર્મવતી, વ્રતવતી છે.
હવે નવ બળભદ્રોનું વર્ણન સાંભળો. પહેલાં નવે બળભદ્રોની પૂર્વજન્મની પુરીનાં નામ કહ્યાં છે-મુંડરિકિણી, પૃથિવી, આનંદપુરી, નંદપુરી, વીતશોકા, વિજયપુર, સુસીમા, ક્ષેમા, હસ્તિનાગપુર. હવે બળભદ્રોનાં નામ સાંભળો. બાલ, મારુતદેવ, નંદિમિત્ર, મહાબળ, પુરુષવૃષભ, સુદર્શન, વસુધર, શ્રીરામચંદ્ર, શંખ. હવે એમના પૂર્વભવના ગુરુઓના નામ સાંભળો. અમૃતાર, મહાસુવ્રત, સુવ્રત, વૃષભ, પ્રજાપાલ, દમવર, સધર્મ, અર્ણવ, વિદ્યુમ. આ બળભદ્રો જે દેવલોકમાંથી આવ્યા તેમના નામ સાંભળો. પ્રથમ ત્રણ બળભદ્ર અનુત્તર વિમાનમાંથી આવ્યા,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com