SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પંદરમું પર્વ ૧૬૯ પદ્મપુરાણ ઋષભદેવના નિર્વાણ કલ્યાણકથી તે પર્વત પૂજ્ય બનેલ છે, ત્યાં અંજનાના પિતા રાજા મહેન્દ્ર સમસ્ત પરિવાર સહિત ગયા. ત્યાં ભગવાનની પૂજા કરી, સ્તુતિ કરી અને ભાવસહિત નમસ્કાર કરી સુવર્ણની શિલા ઉપર સૂખપૂર્વક બિરાજ્યા. રાજા પ્રહલાદ પવનંજયના પિતા પણ ભરત ચક્રવર્તીના કરાવેલાં જિનમંદિરોની વંદના માટે કૈલાસ પર્વત પર આવ્યા હતા. તે વંદના કરીને પર્વત પર ફરતા રાજા મહેન્દ્રની દૃષ્ટિએ પડયા. રાજા મહેન્દ્રને જોઇને પ્રીતિથી પ્રફુલ્લ મન અને નેત્રવાળા રાજા પ્રહલાદ તેમની પાસે આવ્યા. મહેન્દ્ર ઉભા થઈને તેમની સામે આવ્યા. બન્ને એક મનોજ્ઞ શિલા ૫૨ બેઠા અને પરસ્પર શરીરાદિની કુશળતા વિષે પૂછવા લાગ્યા. રાજા મહેન્દ્રે કહ્યું કે હું મિત્ર! મારે કુશળ શેનું હોય ? કન્યા વયોગ્ય થઈ છે. તેને પરણાવવાની ચિંતાથી ચિત્ત વ્યાકુળ રહે છે. જેવી કન્યા છે તેવો વર જોઈએ, મોટું ઘર જોઈએ, કોને કન્યા આપવી એ બાબતમાં મન ભમ્યા કરે છે. રાવણને પરણાવીએ તો તેને ઘણી સ્ત્રીઓ છે અને ઉંમર મોટી છે. જો તેના પુત્રોમાંથી કોઈને આપીએ તો ભાઈઓમાં પરસ્પર વિરોધ થાય હેમપુરના રાજા કનક્લુતિનો પુત્ર સૌદામિનીપ્રભ એટલે કે વિદ્યુતપ્રભ થોડા જ દિવસોમાં મુક્તિ પામવાનો છે એ વાત આખી ધરતી ૫૨ જાણીતી છે, જ્ઞાની મુનિઓએ કહી છે. અમે પણ અમારા મંત્રીઓનાં મુખે સાંભળી છે. હવે અમારો નિશ્ચય છે કે આપનો પુત્ર પવનંજય કન્યાને વરવા યોગ્ય છે, એ જ મનોરથથી અમે અહીં આવ્યા છીએ. ત્યાં આપના દર્શન થયા એટલે અતિઆનંદ થયો અને કાંઈક વિકલ્પ મટયો. ત્યારે પ્રહલાદે કહ્યું મને પણ પુત્રને પરણાવવાની ચિંતા છે, હવે હું પણ આપના દર્શન કરીને તથા વચન સાંભળીને અકલ્પ્ય સુખ પામ્યો છું. આપ જે આજ્ઞા કરો તે મને માન્ય છે. મારા પુત્રના સદ્ભાગ્ય કે આપે કૃપા કરી. પછી વરકન્યાનાં લગ્ન માનસરોવરના કિનારે કરવાનું નક્કી થયું. બન્ને સેનામાં આનંદનો ધ્વનિ ઊઠયો, જ્યોતિષીઓએ ત્રણ દિવસનાં લગ્ન સ્થાપ્યાં. પવનંજયકુમાર અંજનાના રૂપની અદ્દભુતતા સાંભળીને તત્કાળ જોવા તૈયાર થયો, ત્રણ દિવસ રહી ન શક્યો. સંગમની અભિલાષાથી એ કુમા૨ કામને વશ થયો, કામના દશ વેગોથી પરવશ થયો. પ્રથમ વિષયની ચિંતાથી વ્યાકુળ થયો, બીજા વેગમાં જોવાની અભિલાષા થઈ, ત્રીજા વેગથી દીર્ઘ ઉચ્છ્વાસ લેવા લાગ્યો, ચોથા વેગે કામજ્વર થયો જાણે કે ચંદનના વૃક્ષને અગ્નિલાગી, પાંચમા વેગથી અંગ ખેદરૂપ થયાં, સુગંધી પુષ્પાદિ પ્રત્યે અરુચિ જાગી, છઠ્ઠા વેગને કારણે ભોજન વિષ સમાન અરુચિકર લાગ્યું, સાતમા વેગે તેની કથાની આસક્તિથી વિલાપ ઉપજ્યો, આઠમા વેગથી ઉન્મત્ત થયો, વિભ્રમરૂપ અનેક ચેષ્ટા કરવા લાગ્યો, નવમા વેગથી મૂર્છા આવી ગઈ અને દસમા વેગથી દુઃખના ભારથી પીડાવા લાગ્યો. જોકે પવનંજય વિવેકી હતો તો પણ કામના પ્રભાવથી વિહ્વળ થયો, તે કામને ધિક્કાર હો! કેવો છે કામ? મોક્ષમાર્ગનો વિરોધી છે. કામના વેગથી પવનંજયે ધીરજ ગુમાવી, ગાલે હાથ ટેકવીને શોક કરતો બેઠો. તેના ગાલ પ૨થી પરસેવો ટપકે છે, તેના હોઠ ઉષ્ણ નિશ્વાસથી કરમાઈ ગયા છે, શરીર ધ્રૂજે છે, Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008396
Book TitleRam Charitra
Original Sutra AuthorRavishenacharya
Author
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1999
Total Pages681
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy