________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રમેશ- હું! તે બળી ગયાં? એ તો બહુ ખરાબ થયું. પછી...? શિક્ષક- પછી શું? પાર્શ્વકુમારે તે નાગ-નાગણીને બોધ આપ્યો અને તેઓ
મંદકષાય પૂર્વક મરીને ધરણેન્દ્ર અને પદ્માવતી થયા. રમેશ- સારું થયું, ચાલો; તેમનો ભવ તો સુધરી ગયો. શિક્ષક- દેવ થઈ ગયા તેમાં શું સારું થયું? સારું તો એ થયું કે તેમની રુચિ
સન્માર્ગ તરફ વળી ગઈ. આ હૃદયવિદારક ઘટનાથી પાર્શ્વકુમારનું કોમળ હૃદય વૈરાગ્યમય થઈ ગયું અને પોષ વદ અગિયારસને દિવસે તેઓ
દિગમ્બર સાધુ થઈ ગયા. સુરેશ- પછી તો તેમણે ઘોર તપશ્ચર્યા કરી હશે? શિક્ષક- હા, પછી તેઓ અખંડ મૌનવ્રત ધારણ કરીને આત્મસાધનામાં લીન થઈ
ગયા. એકવાર તેઓ અહિક્ષેત્રના વનમાં ધ્યાનસ્થ હતા, ઉપરથી તેમનો પૂર્વ ભવનો વેરી સંવર નામનો દેવ જઈ રહ્યો હતો. તેમને જોઈને તેનું પૂર્વનું વેર જાગૃત થઈ ગયું અને તેણે મુનિરાજ પાર્શ્વનાથ પર ઘોર ઉપસર્ગ કર્યો. પાણી વરસાવ્યું, કરાનો વરસાદ કર્યો, ત્યાં સુધી કે ઘોર તોફાન ચલાવ્યું અને પથ્થર પણ વરસાવ્યા. પણ પાર્શ્વનાથ આત્મસાધનામાંથી ડગ્યા નહિ અને તેમને તે જ વખતે ચૈત્ર વદ ચૌદશને દિવસે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. એ જોઈને તે
દેવ પછતાતો તેમનાં ચરણોમાં આળોટી પડ્યો. જિનેશ- મેં તો સાંભળ્યું છે કે તે વખતે તે ધરણેન્દ્ર-પદ્માવતીએ પાર્શ્વનાથની રક્ષા
કરી હતી. શિક્ષક- સાધારણ દેવ-દેવી ત્રણલોકના નાથની શું રક્ષા કરે? તેઓ તો પોતાની
આત્મસાધનાથી પૂર્ણ સુરક્ષિત હતા જ, પણ વાત એમ છે કે તે વખતે ધરણેન્દ્ર અને પદ્માવતીને તેમનો ઉપસર્ગ દૂર કરવાનો વિકલ્પ જરૂર આવ્યો હતો તથા તેમણે પોતાની શક્તિ પ્રમાણે પોતાના વિકલ્પની પૂર્તિ પણ કરી હતી.
ત્યાર પછી તેઓ લગભગ સિત્તેર વર્ષ સુધી આખા ભારતમાં સમવસરણ સહિત વિહાર કરતા રહ્યા અને દિવ્યધ્વનિ દ્વારા, ભવ્ય જીવોને તત્ત્વનો ઉપદેશ આપતા રહ્યા. તેઓ પોતાના ઉપદેશોમાં સદાય આત્મસાધના ઉપર જોર આપતા રહ્યા. તેઓ કહેતા કે આ આત્મા જ અનંતજ્ઞાન અને સુખનો ભંડાર છે–એની શ્રદ્ધા કર્યા વિના, એને જાણ્યા
૪૫.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com