________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાન પાર્શ્વનાથ
શિક્ષક– રમેશ, તમે પાર્શ્વનાથના વિષયમાં શું જાણો છો ? રમેશ જી, પાર્શ્વનાથ એક રેલવે સ્ટેશનનું નામ છે.
શિક્ષક- તમારી જગ્યાએ ઊભા થાવ. તમને જવાબ આપવાની રીત પણ આવડતી નથી. ઊભા થઈને જવાબ આપવો જોઈએ. સભ્યતા શીખો. અમે પૂછીએ છીએ ભગવાન પાર્શ્વનાથની વાત, તમે બતાવો છો કે સ્ટેશનનું નામ છે. રમેશ- જી, હું કલકત્તા ગયો હતો. રસ્તામાં પાર્શ્વનાથ નામનું સ્ટેશન આવ્યું હતું, તેથી કહી દીધું. કાંઈ ભૂલ થઈ ગઈ હોય તો ક્ષમા કરો.
શિક્ષક- પાર્શ્વનાથ સ્ટેશનનું પણ નામ છે, પણ જાણો છો કે તે સ્ટેશનનું નામ પાર્શ્વનાથ કેમ પડયું? તેની પાસે એક પર્વત છે, જેનું નામ સમ્મેદશિખર છે, ત્યાંથી ૨૩માં તીર્થકર ભગવાન પાર્શ્વનાથે નિર્વાણ પ્રાપ્ત કર્યુ હતું. તે જ કારણે તે સ્ટેશનનું નામ પણ પાર્શ્વનાથ રાખવામાં આવ્યું. એટલે સુધી કે તે પર્વતને પણ પારસનાથ હિલ કહેવામાં આવે છે.
એ જૈનોનું બહુ મોટું તીર્થક્ષેત્ર છે, અહીં લાખો માણસો દર વર્ષે યાત્રા કરવા આવે છે. આ સ્થાન બિહાર પ્રાંતમાં, હજારીબાગ જિલ્લામાં ઈસરીની પાસે છે. પાર્શ્વનાથ સિવાય બીજા પણ કેટલાક તીર્થંકરોએ અહીંથી ૫૨મપદ (મોક્ષ ) પ્રાપ્ત કરેલ છે.
શિક્ષક– અને પાર્શ્વનાથનું જન્મસ્થાન કયું છે?
શિક્ષક- કાશી, જેને આજે વારાણસી (બનારસ) કહે છે. આજથી લગભગ ત્રણ હજાર વર્ષ પહેલાં ઈક્ષ્વાકુવંશના કાશ્યપ ગોત્રીય વારાણસી નરેશ અશ્વસેનને ત્યાં તેમની વિદુષી પત્ની વામાદેવીના ઉદરથી પોષ વદ અગિયારસના દિવસે પાર્શ્વકુમારનો જન્મ થયો હતો. તેમના જન્મકલ્યાણકનો ઉત્સવ તેમનાં માતા-પિતા અને નગરજનોએ તો ઊજવ્યો જ હતો પણ સાથે દેવો અને ઈન્દ્રોએ પણ ખૂબ ઉત્સાહથી ઊજવ્યો હતો.
૪૩
Please inform us of any errors on rajesh@AtmaDharma.com