________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દેવ-શાસ્ત્ર-ગુરુ સુબોધ- કેમ ભાઈ, વહેલી સવારે જ સંન્યાસી બનીને કયાં જઈ રહ્યા છો? પ્રબોધ- પૂજા કરવા જઈ રહ્યો છું. આજે ચૌદશ છે ને ? હું તો દરેક આઠમ અને
ચૌદશે પૂજા જરૂર કરું છું. સુબોધ- કેમ ભાઈ, તમે કોની પૂજા કરો છો? પ્રબોધ- દેવ, શાસ્ત્ર અને ગુરુની પૂજા કરું છું. સુબોધ- કયા દેવની? પ્રબોધ- જૈનધર્મમાં વ્યક્તિની મુખ્યતા નથી. તે વ્યક્તિને બદલે ગુણોની પૂજામાં
માને છે. સુબોધ- ઠીક, તો દેવમાં કયા ગુણો હોવા જોઈએ ? પ્રબોધ- જે વીતરાગ, સર્વજ્ઞ અને હિતોપદેશી હોય તે જ સાચા દેવ છે. જે કોઈના
પ્રત્યે રાગેય કરતા ન હોય અને દ્વષ પણ કરતા ન હોય તે જ વીતરાગ કહેવાય છે. વીતરાગને જન્મ-મરણ વગેરે ૧૮ દોષ હોતા નથી. તેમને ભૂખ-તરસ પણ લાગતી નથી. જાણે કે તેમણે બધી ઈચ્છાઓ ઉપર
વિજય મેળવી લીધો છે. સુબોધ- વીતરાગનો અર્થ તો સમજ્યો પણ સર્વજ્ઞપણું શું વસ્તુ છે ? પ્રબોધ- જે બધું જ જાણે છે, તે જ સર્વજ્ઞ છે. જેમના જ્ઞાનનો પૂરેપૂરો વિકાસ થઈ
ગયો છે, જેઓ ત્રણલોકની બધી વાતો-જે ભૂતકાળમાં થઈ ગઈ, વર્તમાનમાં થઈ રહી છે અને ભવિષ્યમાં થવાની છે-તે બધી વાતોને
એકસાથે જાણતા હોય, તે જ સર્વજ્ઞ છે. સુબોધ- ઠીક, તો એમ સિદ્ધ થયું કે જે રાગ-દ્વેષ (પક્ષપાત) રહિત હોય અને
પૂર્ણજ્ઞાની હોય, તે જ સાચા દેવ છે. પ્રબોધ- હા, વાત તો એમ જ છે, તેઓ જે કાંઈ ઉપદેશ આપશે તે સાચો અને
ભલો હશે. તેમનો ઉપદેશ હિત કરનાર હોવાથી જ તેમને હિતોપદેશી
કહેવામાં આવે છે. સુબોધ- તેમનો ઉપદેશ સાચો અને ભલો કેમ હશે?
૧O
Please inform us of any errors on rajesh@AtmaDharma.com