________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પાઠ ૨
દેવ-શાત્ર-ગુરુ
સમન્તભદ્રાચાર્ય
(વ્યક્તિત્વ અને કર્તુત્વ) લોકેષણાથી દૂર રહેનાર સ્વામી સમભદ્રનું જીવનચરિત્ર એક રીતે અજ્ઞાત જ છે. જૈનાચાર્યોની એ વિશેષતા છે કે મહાન કાર્યો કર્યા પછી પણ તેમણે પોતાના વિષયમાં કયાંય કાંઈ લખ્યું નથી. જે કાંઈ થોડું ઘણું પ્રાપ્ત છે, તે પૂરતું નથી.
તેઓ કદંબ રાજવંશના ક્ષત્રિય રાજકુમાર હતા. તેમની બાલ્યાવસ્થાનું નામ શાન્તિ વર્મા હતું. તેમનો જન્મ દક્ષિણ ભારતમાં કાવેરી નદીના કિનારે આવેલા ઉરગપુર નામના નગરમાં થયો હતો. તેમની હયાતી વિક્રમ સંવત્ ૧૩૮ સુધી હતી.
તેમના પરિવારના જીવન વિષે કાંઈ પણ જાણવામાં આવ્યું નથી. તેમણે નાની ઉમરમાં જ મુનિદીક્ષા ધારણ કરી લીધી હતી. દિગંબર જૈન સાધુ થઈને તેમણે ઘોર તપ કર્યું અને અગાધ જ્ઞાન મેળવ્યું.
તેઓ જૈન સિદ્ધાંતના તો અગાધ મર્મજ્ઞ હતા જ. સાથોસાથ તર્ક, ન્યાય, વ્યાકરણ, છંદ, અલંકાર, કાવ્ય અને કોષના પણ અદ્વિતીય વિદ્વાન હતા. તેમનામાં અજોડ વાદ-શક્તિ હતી. તેમણે કેટલીયે વાર ફરી ફરીને કુવાદીઓના ગર્વનું ખંડન કર્યું હતું. તેઓ પોતે લખે છે :
Please inform us of any errors on rajesh@AtmaDharma.com