________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ક્રિયા
-
-
-
-
-
-
-
-
અને પર્યાયમાં ક્ષણિક રાગ-દ્વેષ હોવા છતાં, “હું આ જડની ભિન્ન છું અને મારા શુદ્ધ જ્ઞાનભાવમાં આ રાગ-દ્વેષ નથી એવું ભેદજ્ઞાન વર્તે તે શરૂઆતની ધર્મની ક્રિયા છે, અને પછી શુદ્ધ જ્ઞાતા ભાવમાં સ્થિરતાં કરતાં રાગદ્વેષ ટળતાં જાય છે. એ રીતે ધર્મની ક્રિયાના જોરે વિકાસની ક્રિયાનો નાશ થાય છે.
(૧) પેટમાં આહાર પડ્યો કે ન પડ્યો તે જડની ક્રિયા છે. તેમાં નથી પાપ નથી પુણ્ય કે નથી ધર્મ. (૨) પેટમાં આહાર ન પડ્યો તે વખતે જીવને જો અણગમો લાગે કે “ઉપવાસ તો કર્યો પણ કાલ જેવી આજે મજા ન પડી” તો તેને અશુભ પરિણામ છે અને તે પરિણામથી પાપબંધન છે. (૩) તે વખતે જો મંદ કષાય રાખે તો શુભ પરિણામ છે અને તે પરિણામથી પુણ્યબંધન છે. (૪) તે વખતે આહારનું, શરીરનું અને પુણ્ય-પાપનું લક્ષ છોડીને પોતાના ત્રિકાળી આત્મસ્વભાવની ઓળખાણપૂર્વક તેમાં સ્થિર થાય, અનુભવમાં એકાગ્ર થાય તો તે ધર્મ છે. આ ચાર પ્રકારમાં નં. (૧) જડની ક્રિયા છે, નં. (૨) તથા (૩) તે વિકારની ક્રિયા છે અને નં. (૪) ધર્મની ક્રિયા અથવા અવિકારી ક્રિયા છે.
શરીર સ્થિર રહે તે જડની ક્રિયા છે. તે જડની ક્રિયા ઉપરથી આત્માનું માપ કાઢે તે અજ્ઞાની છે. જડ શરીરની ક્રિયા સ્થિર રહેવારૂપ થઈ પરંતુ તે વખતે આત્માની ક્રિયા કેવા પ્રકારની થઈ રહી છે તેના ભાન વિના ધર્મનું માપ ક્યાંથી કાઢશે? ધર્મની ક્રિયા શરીરમાં થાય કે આત્મામાં? જેની ભૂમિકામાં ધર્મની ક્રિયા થાય છે એવા આત્મસ્વભાવનું જેને ભાન નથી તે ધર્મની ક્રિયા ક્યાં કરશે ? માટે સૌથી પહેલાં આત્માના સ્વરૂપની સમજણ કરવી તે જ શરૂઆતની ધર્મની ક્રિયા છે. એ સિવાય બીજી કોઈ ક્રિયા ધર્મની નથી.
ક્રિયાનું સ્થાપન અને ઉત્થાપન ૧. શરીરની ક્રિયા તે પુગલ પરમાણુઓની અવસ્થા છે અને પરમાણુઓ સ્વતંત્રપણે પરિણમે છે. અર્થાત્ શરીરની તે અવસ્થારૂપ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com