________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
-
-
--
-
---
––––––––
ભગવાન શ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા ----------
૫૧. જિનશાસન નિમિત્તની ઉપેક્ષા કરવાનું કહે છે. નિમિત્તની ઉપેક્ષા ન કરવી એટલે કે પરદ્રવ્ય સામેનો સંબંધ ન તોડવો એ વાત જૈનશાસનથી વિરુદ્ધ છે. જૈનશાસનનું પ્રયોજન પર સાથે સબધ કરાવવાનું નથી પર સાથેનો સંબંધ છોડાવીને વીતરાગ ભાવ કરાવવાનું છે. બધાં સન્શાસ્ત્રનું તાત્પર્ય વીતરાગભાવ છે અને તે વીતરાગભાવ સ્વભાવના લક્ષ બધા પરપદાર્થોથી ઉદાસીનતા કરવાથી જ થાય છે. કોઈ પણ પર લક્ષમાં અટકવું તે શાસ્ત્રનું પ્રયોજન નથી. કેમકે પરના લક્ષે રાગ થાય છે. નિમિત્ત પણ પરદ્રવ્ય જ છે; તેથી નિમિત્તની અપેક્ષા છોડીને અર્થાત્ તેની ઉપેક્ષા કરીને પોતાના સ્વભાવની અપેક્ષા કરવી તે જ પ્રયોજન છે. “નિમિત્તની ઉપેક્ષા કરવા જેવી નથી એટલે કે નિમિત્તનું લક્ષ છોડવા જેવું નથી” એવો અભિપ્રાય તે તો મિથ્યાત્વ છે, અને એ મિથ્યા અભિપ્રાય છોડ્યા પછી પણ અસ્થિરતાને કારણે નિમિત્ત ઉપર લક્ષ જાય તે રાગનું કારણ છે. માટે પોતાના સ્વભાવના આશ્રયે નિમિત્ત વગેરે પરદ્રવ્યોની ઉપેક્ષા કરવી તે યથાર્થ છે.
પ૨. મુમુક્ષુ જીવોએ આ વાત સમજવી જોઈએ. ઉપાદાન-નિમિત્ત સંબંધી આ વાત ખાસ પ્રયોજનભૂત છે. આ સમજ્યા વગર કદી પણ જીવને બે દ્રવ્યોમાં એકતાની બુધ્ધિ ટળે નહિ ને સ્વભાવની શ્રદ્ધા થાય નહિ. સ્વભાવની શ્રદ્ધા થયા વગર સ્વભાવમાં અભેદતા થાય નહિ, એટલે કે જીવનું કલ્યાણ થાય નહિ. આવો જ વસ્તુસ્વભાવ કેવળજ્ઞાનીઓએ જોયો છે અને સંતોમુનિઓએ કહ્યો છે. જીવને કલ્યાણ કરવું હોય તો આ સમજવું પડશે. રાત્રિ ચર્ચામાંથી (વીર સંવત ૨૪૭૩: શ્રાવણ વદિ ૧)
૫૩. સમર્થકારણની વ્યાખ્યા. પ્રશ્ન- સમર્થ કારણ કોને કહે છે?
ઉત્તર:- જ્યારે ઉપાદાનમાં કાર્ય થાય ત્યારે ઉપાદાન અને નિમિત્ત બંને સાથે હોય છે. તેથી તે બંનેને એકસાથે સમર્થકારણ કહેવાય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com