________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્તની સ્વતંત્રતા
૩૭
—————
––
––
પર વસ્તુઓનો સંયોગ વિયોગ થવો તે તો પૂર્વનાં પુણ્ય પાપ અનુસાર છે. તેનો કર્તા આત્મા નથી, પણ સંયોગની અને વિકારની ચિનો નાશ કરીને પોતાના સ્વભાવમાં વળવું તે તો પોતાના પુરુષાર્થને આધીન છે. પોતાને પુરુષાર્થ કરવામાં કોઈ નિમિત્ત કે સંયોગ નડતા નથી. પોતે સત્ સમજવાની રુચિ કરે ત્યારે સને અનુકૂળ નિમિત્ત સ્વયં હોય જ છે. સાચી સમજણ કરવાની રુચિના અભાવે જ જીવ અનાદિથી પોતાનું સ્વરૂપ સમજ્યો નથી. માટે આત્મસ્વરૂપ સમજવાની રુચિ કરો અને જ્ઞાન કરો.
ઉપાદાન-નિમિત્તની સ્વતંત્રતા | પૂજ્ય શ્રી કાનજી સ્વામીનું વ્યાખ્યાન-હિ. શ્રાવણ
વદિ ૧, વીર સવંત ૨૪૭૩ ૧. ઉપાદાન-નિમિત્ત.
ઉપાદાન કોને કહેવું? અને નિમિત્ત કોને કહેવું? આત્માની ત્રિકાળી શક્તિને ઉપાદાન કહેવાય છે તેમ જ પર્યાયની વર્તમાન શક્તિને પણ ઉપાદાન કહેવાય છે. જે અવસ્થામાં કાર્ય થાય છે તે સમયની તે અવસ્થા પોતે જ ઉપાદાન કારણ છે અને તે વખતે તેને અનુકૂળ પરદ્રવ્ય નિમિત્ત છે. નિમિત્તને લીધે ઉપાદાનમાં કાંઈ થતું નથી. આ ઉપાદાન-નિમિત્ત સંબંધી ચાલતી અનેક પ્રકારની મિથ્યા માન્યતા દૂર થઈ જાય તે માટે આ ઉપાદાન-નિમિત્તનો સિદ્ધાંત અનેક દષ્ટાંતો સહિત સમજાવવામાં આવે છે.
૨. ગુરુના નિમિત્તથી જ્ઞાન થતું નથી.
આત્મામાં જે જ્ઞાન થાય છે તે જ્ઞાન આત્માના પર્યાયની શક્તિથી થાય છે કે શાસ્ત્રના નિમિત્તથી થાય છે? આત્માના પર્યાય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com