________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય દૃષ્ટિ
“દરેકે દરેક દ્રવ્ય જુદાં છે. એક દ્રવ્યને બીજા દ્રવ્ય સાથે ખરેખર કાંઈ સંબંધ નથી” આમ જે યથાર્થપણે જાણે તેને દ્રવ્યદૃષ્ટિ થાય અને દ્રવ્યદૃષ્ટિ થતાં સમ્યગ્દર્શન થાય. જેને સમ્યગ્દર્શન થાય તેનો મોક્ષ થયા વગર રહે નહિ. તેથી સૌથી પહેલાં વસ્તુનું સ્વરૂપ જાણવું જરૂરી છે.
“દરેક દ્રવ્ય જુદાં છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી.” આમ માનતાં આત્મા સર્વ પદ્રવ્યથી ભિન્ન છે તેમજ દરેકે દરેક પુદ્ગલપરમાણુ જુદાં છે. બે પરમાણુ ભેગા-એકરૂપ થઈને કદી કાર્ય કરતા નથી, પણ દરેક પરમાણુ સ્વતંત્ર જુદો છે એમ વસ્તુ સ્વભાવનું જ્ઞાન થાય છે.
જીવને વિકારભાવ થવામાં નિમિત્તરૂપ વિકારી પરમાણુઓ (સ્કંધ) થઈ શકે, પરંતુ દ્રવ્ય અપેક્ષાએ જોતાં દરેક પરમાણુ છૂટો જ છે. બે પરમાણું ભેગા થયા જ નથી અને એક છૂટો પરમાણુ કદી વિકારનું નિમિત્ત થઈ શકતો નથી. એટલે કે દરેક દ્રવ્ય ભિન્ન છે એવી સ્વભાવ દૃષ્ટિથી કોઈ દ્રવ્ય અન્ય દ્રવ્યના વિકારનું નિમિત્ત પણ નથી. આ રીતે દ્રવ્યદૃષ્ટિથી કોઈ દ્રવ્યમાં વિકાર છે જ નહિ, જીવ દ્રવ્યમાં પણ દવ્યદષ્ટિથી વિકાર નથી. પર્યાયદષ્ટિથી જીવને અવસ્થામાં રાગદ્વેષ થાય છે અને તેમાં કર્મ નિમિત્તરૂપ થાય છે. પરંતુ પર્યાયને ગૌણ કરી જ્યારે દ્રવ્યદૃષ્ટિથી જોવામાં આવે, ત્યારે કર્મ કોઈ વસ્તુ જ ન રહી. કેમકે તે તો સ્કંધ છે અને તેના દરેક પરમાણુ જુદું જુદું કાર્ય કરે છે. તેથી જીવને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com