________________
૯૪
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાનશ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા
જ્ઞાન જાણતું નથી-આમ સમજવું તે જ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ નું જ્ઞાન છે. પણ જ્ઞાન ઇન્દ્રિયથી જાણે એમ માને તો તે શાન ખોટું છે. કેમકે તે માન્યતામાં નિમિત્ત-ઉપાદાન એક થઈ જાય છે.
આચાર્યદેવ શિષ્યને પૂછે છે કે જો જીવે ઇન્દ્રિયથી જ્ઞાન કર્યું તો સામાન્ય જ્ઞાને શું કાર્ય કર્યું? તેનો તે વખતે અભાવ થયો?
શિષ્ય ઉત્તરમાં કહ્યું કે ભલે જ્ઞાન-વિશેષ ન હોય, તો પણ જ્ઞાન સામાન્ય તો ત્રિકાળ રહેશે, અને જાણવાનું કામ ઇન્દ્રિયથી થશે. આમ થવાથી જ્ઞાનનો નાશ નહિ થાય, અભાવ નહિ થાય.
આચાર્યદેવનો ઉત્ત૨:- વિશેષ વિનાનું સામાન્ય તો સસલાના શીંગ સમાન (અભાવરૂપ ) છે. વિશેષ વગર સામાન્ય ન હોઈ શકે. માટે વિશેષ વગરનું સામાન્ય જ્ઞાન માનવાથી સમાન્યનો નાશ થાય છે, અભાવ થાય છે માટે વિશેષ જ્ઞાનથી જ જાણવાનું કાર્ય થાય છે, એમ માનવામાં આવે તો જ સામાન્ય જ્ઞાનની અસ્તિ રહે છે.
જ્ઞાન સ્વભાવ રાગ અને નિમિત્તના અવલંબન રહિત છે તથા વિશેષ જ્ઞાન સામાન્ય જ્ઞાનમાંથી જ આવે છે એમ જાણીને તેની શ્રદ્ધા જ્ઞાન અને સ્થિરતા કરવી તે જ ધર્મ છે.
જો જ્ઞાન ઇન્દ્રિયથી જાણે તો જ્ઞાનનું વર્તમાન કાર્ય ક્યાં ગયું ? ઇન્દ્રિયની હાજરી વખતે જો જ્ઞાન ઇન્દ્રિયના કારણે જાણતું હોય તો તે વખતે સામાન્ય જ્ઞાન વિશેષપર્યાય વગરનું થયું. વિશેષ વગર તો સામાન્ય હોય જ નહિ. જ્યાં સામાન્ય હોય ત્યાં તેનું વિશેષ હોય જ. હવે તે વિશેષ સામાન્યજ્ઞાનથી થાય છે કે નિમિત્તથી થાય છે? વિશેષ જ્ઞાન નિમિત્તને લઈને થયું નથી પણ સામાન્ય સ્વભાવથી થયું છે. વિશેષનું કારણ સામાન્ય છે, નિમિત્ત તેનું કારણ નથી. કેમકે જો તે કાર્ય નિમિત્તનું અંશે કે પુર્ણપણે હોય તો નિમિત્ત જે ૫૨ દ્રવ્ય છે તે પરદ્રવ્યરૂપ જ્ઞાન થઈ જાય. આત્માનો જ્ઞાનસ્વભાવ કાયમ છે તે સામાન્ય અને વર્તમાન કાર્યરૂપ જે જ્ઞાન તે તેનું વિશેષ છે. સામાન્ય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com