________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગણધર બનાવ્યા. એ ઉપરાંત તેમના બીજા દશ ગણધરો હતા. જેમના નામ આ પ્રમાણે છેઃ- (૧) અગ્નિભૂતિ, (૨) વાયુભૂતિ, (૩) આર્યવ્યક્ત, (૪) સુધર્મા, (૫) મંડિત, (૬) મૌર્યપુત્ર, (૭) અપિત, (૮) અચલભ્રાતા, (૯) મેતાર્ય અને (૧૦) પ્રભાસ.
શ્રાવક શિષ્યોમાં મગધસમ્રાટ મહારાજા શ્રેણિક (બિમ્બસાર) મુખ્ય હતા.
લાગલગાટ ત્રીસ વર્ષો સુધી આખાય ભારતવર્ષમાં એમનો વિહાર થતો રહ્યો. એમનો ઉપદેશ એવી રીતે થતો હતો કે સૌ પોત-પોતાની ભાષામાં સમજી લેતાં હતાં એમના ઉપદેશને દિવ્યધ્વનિ કહેવામાં આવે છે. એમણે પોતાની દિવ્ય વાણીમાં જીવાદિ સર્વ દ્રવ્યોની સંપૂર્ણપણે સ્વતંત્રતાની ઘોષણા કરી. એમનું કહેવું હતું કે પ્રત્યેક આત્મા સ્વતંત્ર છે, કોઈ, કોઈને આધીન નથી. પૂર્ણ સ્વતંત્રતા પ્રાપ્ત કરવાનો માર્ગ સ્વાવલંબન છે. રંગ, રાગ અને ભેદથી ભિન્ન શુદ્ધ નિજ-આત્મામાં દષ્ટિ કેન્દ્રિત કરવી એ જ સ્વાવલંબન છે. પોતાના સામર્થ્યના આધારે જ સ્વતંત્રતા પ્રાપ્ત કરી શકાય છે. અનન્ત સુખ અને સ્વતંત્રતા ભીખમાં પ્રાપ્ત થાય એવી વસ્તુ નથી અને તે બીજાઓની તાકાતના જો૨ ૫૨ મેળવી શકાતાં નથી.
બધા આત્માઓ સ્વતંત્ર ભિન્ન-ભિન્ન છે; એક નથી, પરંતુ એક સમાન અવશ્ય છે, બરાબર છે, કોઈ નાના મોટા નથી. તેથી એમણે કહ્યું:
૧. બીજા આત્માઓને પોતાની સમાન જાણો.
૨. બધા આત્માઓ સમાન છે; પરંતુ એક નથી.
૩. જો સાચી દિશામાં પુરુષાર્થ કરે તો પ્રત્યેક આત્મા પરમાત્મા બની શકે છે.
૪. પ્રત્યેક પ્રાણી પોતાની ભૂલથી સ્વયં દુઃખી છે અને પોતાની ભૂલ સુધારીને સુખી પણ થઈ શકે છે.
ભગવાન મહાવીરે જે કહ્યું તે કોઈ નવું સત્ય ન હતું. સત્યમાં નવા-જૂનાનો ભેદ કેવો ? એમણે જે કહ્યું તે અનાદિથી છે, સનાતન
૬૯
Please inform us of any errors on rajesh@AtmaDharma.com