________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(નવીન ) જીવભાવ કરતો હોવાથી અને જીવ દ્રવ્યરૂપે ધ્રુવ રહેતો હોવાથી જીવ પોતે જ અપાદાન છે; (૬) પોતાનામાં અર્થાત્ પોતાના આધારે જીવભાવ કરતો હોવાથી જીવ પોતે જ અધિકરણ છે.
વસ્તુતઃ કર્મ પોતે જ છ કારકરૂપ પરિણમે છે તેથી અન્ય કારકો (અન્યનાં છ કારકો) ની અપેક્ષા રાખતું નથી. તે જ પ્રમાણે જીવ પોતે જ છે કારકરૂપ પરિણમે છે તેથી અન્યનાં છ કારકોની અપેક્ષા રાખતો નથી; માટે નિશ્ચયથી કર્મનો કર્તા જીવ નથી અને જીવનો કર્તા કર્મ નથી. | નિશ્ચયથી પુદ્ગલ દ્રવ્ય જ્ઞાનાવરણાદિ કર્મયોગ્ય પુગલ સ્કંધો રૂપે પરિણમે છે. અને જીવ દ્રવ્ય પણ પોતાના ઔદયિકાદિ ભાવારૂપે સ્વયં પરિણમે છે. બેઉનાં કારકો એકબીજાથી તદ્દન ભિન્ન અને નિરપેક્ષ છે, તેથી ખરેખર કોઈ દ્રવ્યનાં કારકોને કોઈ અન્ય દ્રવ્યનાં કારકોની અપેક્ષા હોતી નથી. જિજ્ઞાસુ
આ જાણવાથી શું લાભ છે?
પ્રવચનકાર :
એ સ્પષ્ટ છે કે જ્યાં સુધી શ્રદ્ધાનમાં એવી માન્યતાનો સદ્ભાવ રહે કે “અન્ય દ્રવ્ય તેનાથી ભિન્ન અન્ય દ્રવ્યની ઉત્પાદ-વ્યયરૂપ ક્રિયાપરિણતિનો કર્તા વગેરે હોય છે ત્યાં સુધી મિથ્યાત્વ દશા રહે છે. તથા જ્યારથી શ્રદ્ધાનમાં એનું સ્થાન વસ્તુભૂત એવો આ વિચાર લે છે કે “દરેક દ્રવ્ય પોતાની ક્રિયાપરિણતિનો કર્તા વગેરે ખુદ પોતે છે, આ આત્મા પોતાના અજ્ઞાનવશ ખુદ પોતે સંસારને પાત્ર બનેલો છે અને પોતાના પુરુષાર્થ વડે તેનો નાશ કરીને ખુદ પોતે જ મોક્ષને પાત્ર બનશે” ત્યારથી આત્માની સમ્યગ્દર્શનરૂપ અવસ્થાનો પ્રારંભ થાય છે અને એના આધારે જેમ-જેમ ચારિત્રમાં પર નિરપેક્ષતા આવતાં સ્વાવલંબનમાં વૃદ્ધિ થતી જાય છે તેમ-તેમ સમ્યગ્દષ્ટિનો ઉક્ત વિચાર આત્મચર્ચાનું સ્વરૂપ ધારણ કરી પરમ સમાધિ દશામાં પરિણમી જાય
૪s
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com