________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પાઠ ૨
શાસ્ત્રોના અર્થ સમજવાની પદ્ધતિ
પં. ટોડરમલઃ
આ ભવતરુનું મૂળ એક, જાણો મિથ્યાત્વ ભાવ;
તેહને કરી નિર્મૂળ હવે, કરીએ મોક્ષ ઉપાય. આ સંસારરૂપી વૃક્ષનું મૂળ એક મિથ્યાત્વ જ છે. તેથી એનો જડમૂળથી નાશ કરીને જ મોક્ષનો ઉપાય કરી શકાય છે.
જે જીવો જૈન છે, જિન-આજ્ઞાને માને છે, તેમને પણ મિથ્યાત્વ કેમ રહે છે?” આપણે આજે આ સમજવું છે, કેમ કે મિથ્યાત્વનો અંશ પણ બૂરો છે અને (એ) સૂક્ષ્મ મિથ્યાત્વ પણ ત્યાગવા યોગ્ય છે.
દીવાન રતનચંદ- જે જીવો જૈન છે, અને જિન-આજ્ઞાને માને છે, પછી તેમને મિથ્યાત્વ કેવી રીતે રહી જાય છે? જિનવાણીમાં તો મિથ્યાત્વની પોષક વાત જ નથી.
૫. ટોડરમલ- તમે બરાબર કહો છો. જિનવાણીમાં તો મિથ્યાત્વની પોષક વાત નથી. પરંતુ જે જીવો જિનવાણીનો અર્થ સમજવાની પદ્ધતિ જાણતા નથી, તેઓ એના મર્મને સમજતા નથી. પોતાની જ કલ્પના વડે અન્યથા સમજી લે છે, તેથી તેમને મિથ્યાત્વ છૂટતું નથી.
દીવાન રતનચંદ:- તો શું જિનવાણીનો અર્થ સમજવાની કોઈ પદ્ધતિ પણ છે?
પં. ટોડરમલ- કેમ નહીં ? દરેક કામ કરવા અને દરેક વાત સમજવા માટે તેની પોતાની એક રીત હોય છે. જ્યાં સુધી આપણે તે રીત (પદ્ધતિ)ને ન સમજી લઈએ ત્યાં સુધી કોઈ પણ કામ સારી રીતે કરી જ ન શકીએ અને કોઈ પણ વાત સાચા સ્વરૂપે સમજી જ ન શકીએ.
૧)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com