SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સુરેશઃ- પછી શું થયું? શું તેઓ બળીને ખાખ થઈ ગયા ? અધ્યાપક:- હા, એમનો પાર્થિવ દેહ તો ખળીને ખાખ થઈ ગયો. સાથે જ ત્રણ પાંડવો-યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન તો ક્ષપક શ્રેણીએ આરોહણ કરી આઠ કર્મોને પણ ભસ્મ કરી દીધાં અને કેવળજ્ઞાન પામીને શત્રુંજય પર્વતથી સિદ્ધપદ પ્રાપ્ત કર્યું. તથા નકુલ અને સહદેવે દેવાયુનો બંધ કરી સર્વાર્થસિદ્ધિ પ્રાપ્ત કરી. તેઓ પણ ત્યાંથી ચ્યવીને મનુષ્ય-ભવ ધારણ કરીને મોક્ષ પ્રાસ કરશે. ૨મેશઃ- ઠીક! તો શત્રુંજય એટલા માટે સિદ્ધક્ષેત્ર કહેવાય છે, કેમ કે ત્યાંથી ત્રણ પાંડવો મોક્ષ પધાર્યા હતા. આ શત્રુંજય કયાં આવેલો છે? અધ્યાપક:- હા ભાઈ, તે ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિભાગમાં ભાવનગરની પાસે આવેલો છે. તેને પાલીતાણા પણ કહે છે. સુરેશઃ- સોનગઢની પાસે. સોનગઢ તો હું ગયો હતો. ભાવનગરની પાસે જ તો સોનગઢ છે. અધ્યાપક:- હા, ભાઈ, સોનગઢથી કુલ ૨૨ કિલોમીટર દૂર શત્રુંજય પર્વત છે. તેની વંદના આપણે અવશ્ય કરવી જોઈએ તથા પાંડવોના જીવનમાંથી બોધ ગ્રહણ કરવો જોઈએ. સુરેશઃ- હા, હવે હું સમજ્યો કે આત્મ-સાધના સિવાય લૌકિક હારજીતનું કાંઈ મહત્ત્વ નથી. આત્માની સાચી જીત તો મોહ-રાગ-દ્વેષને જીતવામાં છે. ૨મેશઃ- અને જુગારના વ્યસનમાં પડીને મહાપરાક્રમી પાંડવોને પણ અનેક વિપત્તિઓ સહન કરવી પડી, તેથી આપણે કોઈ પણ કામ શરત લગાવીને નહીં કરવું જોઈએ. અધ્યાપકઃ- બહુ જ સરસ. આજે તમે સાચો અને સાર્થક પાઠ ભણ્યા. ૭૪ Please inform us of any errors on [email protected]
SR No.008317
Book TitleTattvagyan Pathmala 1
Original Sutra AuthorN/A
AuthorHukamchand Bharilla
PublisherTodarmal Granthamala Jaipur
Publication Year
Total Pages83
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, Spiritual, & Philosophy
File Size839 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy