________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધ્યાપકઃ- ત્યાર પછી તેઓ પોતાના મામાને ત્યાં દ્વારિકા જતા રહ્યા. દ્વારકાધીશ
કૃષ્ણના પિતા વસુદેવ અને ભગવાન નેમિનાથના પિતા સમુદ્રવિજય પાંડવોના મામા થાય. તેમણે બહેન સાથે આવેલા પોતાના ભાણેજનો બહુ
આદર-સત્કાર કર્યો. સુરેશઃ- ગુરુજી? કૌરવો અને પાંડવોને પરસ્પર બહુ મોટું યુદ્ધ પણ થયું હતું? અધ્યાપકઃ- હા, થયું હતું, પરંતુ તે યુદ્ધ માત્ર કૌરવો અને પાંડવોનું જ રહ્યું ન
હતું. તે યુદ્ધમાં તો આખુંય ભારતવર્ષ સંડોવાયું હતું, કેમ કે તે યુદ્ધમાં પાંડવોની સાથે નારાયણ શ્રીકૃષ્ણ અને કૌરવોની સાથે પ્રતિનારાયણ જરાસંધ જોડાયા હતા, તેથી તે યુદ્ધ નારાયણ અને પ્રતિનારાયણના મહાયુદ્ધનું રૂપ લઈ લીધું હતું. જ્યારે એ યુદ્ધમાં નારાયણ શ્રીકૃષ્ણનો વિજય થયો અને તેઓ ત્રિખંડી અર્ધચક્રવર્તી રાજા થયા એટલે પાંડવોને સ્વાભાવિક રીતે જ હસ્તિનાપુરના મહામંડલેશ્વરનું પદ પ્રાપ્ત થયું. યુધિષ્ઠિર ગંભીર પ્રકૃતિના સહજ ધર્માનુરાગી ન્યાયતંત રાજા હતા, તેથી તેઓ ધર્મરાજ યુધિષ્ઠિરના નામથી ઓળખાય છે. ભીમમાં શારીરિક બળ અતુલ હતું તથા તેઓ મલ્લવિદ્યામાં અજોડ હતા અને અર્જુન પોતાની બાણવિદ્યામાં જગ-પ્રસિદ્ધ ધનુર્ધર હતા. તેઓ બહુ કાળ સુધી શાન્તિપૂર્વક રાજ્ય-સુખ
ભોગવતા રહ્યા. રમેશઃ- પછી ? અધ્યાપકઃ- પછી શું? ઘણા વખત પછી દ્વારિકા-દાહની ભયંકર ઘટનાથી એમનું
હૃદય હચમચી ઊઠયું અને એમનું ચિત્ત સંસારથી ઉદાસ થઈ ગયું. એક દિવસે તે વિરક્ત-હૃદય પાંડવો ભગવાન નેમિનાથની વંદના માટે પરિવાર સહિત તેમના સમવસરણમાં ગયા. ત્યાં ભગવાનની દિવ્ય-ધ્યનિ સાંભળીને એમનો વૈરાગ્ય વિશેષ પ્રબળ થયો. દિવ્ય-ધ્વનિમાં એમ આવી રહ્યું હતું કે ભોગોમાં સાચું સુખ નથી, સાચું સુખ આત્મામાં છે. આત્માનું હિત તો આત્માને સમજીને તેનાથી ભિન્ન સમસ્ત પર પદાર્થોથી મમત્વ હઠાવી જ્ઞાન-સ્વભાવી આત્મામાં એકાગ્ર થવામાં છે. લૌકિક લાભ-હાનિ તો પુણ્ય
૭૨ Please inform us of any errors on rajesh@AtmaDharma.com