________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગળામાં વરમાળા પહેરાવી દીધી.
રમેશઃ- અમે તો સાંભળ્યું છે કે દ્રૌપદી પાંચેય પાંડવોને વરી હતી ?
અધ્યાપકઃ- ના રે ભાઈ, દ્રૌપદી તો મહાસતી હતી. તેણીએ તો અર્જુનના ગળામાં વરમાળા પહેરાવી હતી. તેણી તો યુધિષ્ઠિર અને ભીમને જેઠ હોવાથી પિતા સમાન તથા નકુલ અને સહદેવને દિયર હોવાથી પુત્ર સમાન માનતી હતી. સુરેશઃ- તો પછી લોકો એમ શા માટે કહે છે ?
અધ્યાપકઃ- ભાઈ! વાત એમ છે કે જ્યારે દ્રૌપદી અર્જુનના ગળામાં વરમાળા પહેરાવી રહી હતી ત્યારે વરમાળાનો દોરો તૂટી ગયો અને થોડાં ફૂલ વિખરાઈને પાસે ઊભેલા બાકીના ચાર પાંડવો પર પણ પડયાં અને તેમનાથી બળતરા રાખનારા તથા દ્રૌપદી પ્રાપ્ત કરવાની આશાથી આવેલા લોકોએ આ અપવાદ ફેલાવી દીધો કે તેણી તો પાંચેય પાંડવોને વરી છે.
પાંડવો બ્રાહ્મણ-વેશમાં હતા. તેથી ત્યાં ઉપસ્થિત રાજાગણ અને દુર્યોધનાદિ કૌરવો કોઈ પણ તેમને ઓળખી શકયા નહીં. પરંતુ દુર્યોધનને એ ઠીક ન લાગ્યું કે તેમની હાજરીમાં એક સાધારણ બ્રાહ્મણ દ્રૌપદીને વરીને લઈ જાય. તેથી તેણે બધા રાજાઓને ઉશ્કેર્યા કે મહાપ્રતાપી રાજાઓની હાજરીમાં એક સાધારણ વિપ્રને દ્રૌપદી વરે-એ આ બધા રાજાઓનું અપમાન છે.
પરિણામે દુર્યોધન વગેરે ઉપસ્થિત તમામ રાજાગણ અને પાંડવો વચ્ચે ભયંકર યુદ્ધ થયું.
ધનુર્ધારી અર્જુનની સામે જ્યારે કોઈ ધનુર્ધારી ટકી શકયો નહીં ત્યારે સ્વયં ગુરુ દ્રોણાચાર્ય તેની સાથે યુદ્ધમાં ઊતર્યા. સામે ગુરુદેવને ઊભેલા જોઈ, અર્જુન વિનયથી નમ્રીભૂત થઈ ગયો અને ગુરુને નમસ્કાર કરી બાણ દ્વારા પોતાનો પરિચય-પત્ર ગુરુદેવની પાસે મોકલી આપ્યો.
૬૯
Please inform us of any errors on rajesh@AtmaDharma.com