SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates જિજ્ઞાસુ:- જી હા, આવી ગયું. આચાર્ય સમન્તભદ્ર:- જો આવી ગયું તો બતાવો કે શરી૨ અને જીવમાં કયો અભાવ છે? જિજ્ઞાસુઃ- અત્યંતાભાવ. આચાર્ય સમન્તભદ્રઃ- અત્યંતાભાવ કેમ ? જિજ્ઞાસુઃ- કેમ કે એક પુદ્દગલ દ્રવ્ય છે અને બીજું જીવ દ્રવ્ય છે અને બે દ્રવ્યોની વચ્ચે જે અભાવ હોય તેને જ અત્યંતાભાવ કહે છે. આચાર્ય સમન્તભદ્રઃ- પુસ્તક અને ઘડામાં કયો અભાવ છે? જિજ્ઞાસુઃ- અન્યોન્યાભાવ, કેમ કે પુસ્તક અને ઘડો-બન્ને પુદ્ગલ દ્રવ્યની વર્તમાન પર્યાયો છે. આચાર્ય સમન્તભદ્રઃ- આત્મા અનાદિ કેવલજ્ઞાનપર્યાયમય છે” એમ માનનારા કયો અભાવ માનતા નથી ? 66 જિજ્ઞાસુઃ- પ્રાગભાવ, કેમ કે કેવલજ્ઞાન જ્ઞાનગુણની પર્યાય છે, તેથી કેવલજ્ઞાન થવા પહેલાંની મતિજ્ઞાનાદિ પર્યાયોમાં તેનો અભાવ છે. 66 આચાર્ય સમન્તભદ્રઃ- આ વર્તમાન રાગ મને જીવનભર હેરાન કરશે ” એમ માનનારાઓએ કર્યો અભાવ ન માન્યો ? જિજ્ઞાસુઃ- પ્રધ્વંસાભાવ, કેમ કે વર્તમાન રાગનો ભવિષ્યની ચારિત્રગુણની પર્યાયોમાં અભાવ છે, તેથી વર્તમાન રાગ-દ્વેષ ભવિષ્યના રાગ-દ્વેષનું કારણ બની શકે નહીં. શંકાકાર:- આ ચાર પ્રકારના અભાવોને સમજવાથી શું લાભ છે? આચાર્ય સમન્તભદ્રઃ- અનાદિથી મિથ્યાત્વાદિ મહાપાપ કરનાર આત્મા પુરુષાર્થ કરે તો વર્તમાનમાં તેનો અભાવ કરીને સમ્યક્ત્વાદિ ધર્મ-દશા પ્રગટ કરી શકે છે, કેમ કે વર્તમાન પર્યાયનો પૂર્વ પર્યાયોમાં અભાવ છે. તેથી પ્રાગભાગ સમજવાથી “હું પાપી છું, મેં ઘણાં પાપો કર્યાં છે, હું કેવી રીતે તરી શકું?” ઈત્યાદી હીન ભાવના નીકળી જાય છે. એ જ પ્રમાણે પ્રધ્વંસાભાવ ૧ Please inform us of any errors on [email protected]
SR No.008317
Book TitleTattvagyan Pathmala 1
Original Sutra AuthorN/A
AuthorHukamchand Bharilla
PublisherTodarmal Granthamala Jaipur
Publication Year
Total Pages83
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, Spiritual, & Philosophy
File Size839 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy