________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પાઠ ૭.
ચા૨ અભાવ
આચાર્ય સમન્તભદ્ર
(વ્યક્તિત્વ અને કર્તુત્વ) श्री मूलसंघव्योमेन्दुर्भारते भावितीर्थकृत । देशे समन्तभद्राख्यो , मुनिर्जीयात्पदर्द्धिकः।।
- કવિવર હસ્તિમલ લોકેષણાથી દૂર રહેનાર સ્વામી સમતભદ્રનું જીવન-ચરિત્ર એક રીતે અજ્ઞાત જ છે. જૈનાચાર્યોની આ એક વિશેષતા રહી છે કે મહાનમાં મહાન કાર્યો કર્યા પછી પણ તેમણે પોતાના લૌકિક જીવન સંબંધમાં ક્યાંક કશું પણ લખ્યું નથી. જે કાંઈ થોડા-વત્તા પ્રમાણમાં પ્રાપ્ત છે તે પૂરતું નથી.
પોતે કદંબ રાજવંશના ક્ષત્રિય રાજકુમાર હતા. તેમનું બાળપણમાં શાંતિવર્મા નામ હતું. તેમનો જન્મ દક્ષિણ ભારતમાં કાવેરી નદીના કિનારે આવેલા ઉરંગપુર નામના નગરમાં થયો હતો. તેઓશ્રી સંવત્ ૧૩૮ સુધી હયાત હતા.
તેમના કૌટુંબિક જીવન સંબંધી કાંઈપણ જાણવા મળતું નથી. તેમણે નાની વયમાં જ મુનિ-દીક્ષા ધારણ કરી લીધી હતી. દિગંબર જૈન સાધુ બનીને તેમણે ઘોર તપશ્ચરણ કર્યું અને અગાધ જ્ઞાન પ્રાપ્ત કર્યું.
તેઓ જૈન સિદ્ધાંતના તો અગાધ મર્મજ્ઞ હતા જ, સાથે સાથે તર્ક, ન્યાય, વ્યાકરણ, છંદ, અલંકાર, કાવ્ય અને કોષના પણ પંડિત હતા. તેમનામાં અદ્વિતીય વાદ-શક્તિ હતી. તેમણે કેટલીય વખત ઘૂમી ઘૂમીને કુવાદીઓના ગર્વને ખંડિત કર્યો હતો. તેઓ પોતે જ લખે છે –
૫૫
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com