________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨. ઔદયિક ભાવનું સ્વરૂપ જાણવાથી એમ માલુમ પડે છે કે જીવ અનાદિ-અનંત, શુદ્ધ, ચૈતન્યસ્વભાવી હોવા છતાં પણ એની અવસ્થામાં વિકાર છે, જડ કર્મની સાથે એને અનાદિકાલીન સંબંધ છે; તથા જ્યાં સુધી આ જીવ પોતાના જ્ઞાતાસ્વભાવને સ્વયં છોડીને પર પદાર્થો તરફ વલણ રાખે છે ત્યાં સુધી વિકાર ઉત્પન્ન થતો રહે છે, કર્મને લીધે વિકાર થતો નથી.
૩. ક્ષાયોપથમિક ભાવથી એમ જાણ થાય છે કે જીવ અનાદિકાળથી વિકાર કરતો હોવા છતાં પણ જડ થઈ જતો નથી. એનાં જ્ઞાન, દર્શન વીર્યનો આંશિક વિકાસ હંમેશા બન્યો રહે છે અને સાચી સમજણ પછી તે જેમ-જેમ સત્ય પુરુષાર્થ વધારતો જાય છે, તેમ-તેમ મોહ અંશે દૂર થતો જાય છે.
૪. આત્માનું સ્વરૂપ યથાર્થપણે સમજીને જ્યારે જીવ પોતાના પરિણામિક ભાવનો આશ્રય લે છે ત્યારે ઔદયિક ભાવ દૂર થવાનો પ્રારંભ થાય છે અને સૌ પ્રથમ શ્રદ્ધા ગુણનો ઔદયિક ભાવ દૂર થાય છે, એમ ઔપથમિક ભાવ બતાવે છે.
૫. અપ્રતિહત પુરુષાર્થ વડે પરિણામિક ભાવનો આશ્રય અતિશય વધારવાથી વિકારનો નાશ થાય છે, એમ ક્ષાયિક ભાવ સિદ્ધ કરે છે. જિજ્ઞાસુ - શું આ પાંચે ભાવો બધા જ જીવોને હંમેશાં હોય છે? પ્રવચનકાર - એક પરિણામિક ભાવ જ એવો છે જે બધા જીવોને સદાકાળ હોય
છે, ઔદયિક ભાવ સમસ્ત સંસારી જીવોને તો હોય છે, પરંતુ મુક્ત જીવોને નથી હોતો. એ જ પ્રમાણે ક્ષાયોપથમિક ભાવ પણ મુક્ત જીવોને તો હોતો જ નથી, પરંતુ સંસારી જીવોમાં પણ તેરમાં અને ચૌદમા ગુણસ્થાનવાળા
જીવોને હોતો નથી. જિજ્ઞાસુ- ક્ષાયિક ભાવ તો મુક્ત જીવોને હોય છે? પ્રવચનકાર:- હા, મુક્ત જીવોને તો ક્ષાયિક ભાવ હોય છે; પરંતુ સમસ્ત સંસારી
જીવોને નહીં. અભવ્યો અને મિથ્યાષ્ટિઓને તો ક્ષાયિક ભાવ હોવાનો પ્રશ્ન
૫૧
Please inform us of any errors on rajesh@AtmaDharma.com