________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨. વ્રત પ્રતિમા પાંચ અણુવ્રત આદ, તીન ગુણવ્રત પાલા
શિક્ષાવ્રત ચારોં ધરૈ, યહુ વ્રત પ્રતિમા ચાલ ા ' પહેલી પ્રતિમામાં જે વીતરાગતા અને શુદ્ધિ પ્રાપ્ત હોય તેને બીજી પ્રતિમાધારી શ્રાવક વધારતો રહે છે તથા તેને નિમ્ર કોટિના રાગભાવો થતાં નથી તેથી તેના ત્યાગની પ્રતિમા કરે છે આ પ્રતિમાને યોગ્ય શુદ્ધ પરિણતિ તે નિશ્ચય પ્રતિમા છે અને બાર દેશવ્રતના કષાય મંદતારૂપ ભાવો તે વ્યવહાર પ્રતિમા છે.
૩. સામાયિક પ્રતિમા દ્રવ્ય ભાવ વિધિ સંજાગત, યેિ પ્રતિજ્ઞા ટેકા
તજી મમતા સમતા ગહે, અન્તર્મુહૂરત એકા જો અરિ મિત્ર સમાન વિચારે, આરત રૌદ્ર કુધ્યાન નિવારે |
સંયમ સહિત ભાવના ભાવૈ, સો સામાયિકવંત કહાવૈ | બીજી પ્રતિમાની સરખામણીએ આત્મામાં વિશેષ લીનતા વધી જવાને લીધે જે દિવસમાં ત્રણવાર એક અંતર્મુહૂર્ત સુધી પ્રતિજ્ઞાપૂર્વક સર્વ સાવઘયોગનો ત્યાગ કરીને શાસ્ત્રજ્ઞા પ્રમાણે દ્રવ્ય અને ભાવ સહિત પોતાના જ્ઞાયકસ્વભાવના આશ્રયપૂર્વક મમતાને ત્યાગીને સમતા ધારણ કરે અર્થાત્ સમતાનો અભ્યાસ કરે, શત્રુ અને મિત્ર બંનેને સમાન વિચારે, આર્ત અને રૌદ્રધ્યાન નો અભાવ કરે તથા પોતાના પરિણામોને આત્મામાં સંયમિત કરવાનો અભ્યાસ કરે, તે ત્રીજી સામાયિક પ્રતિમાધારી શ્રાવક છે. આ પ્રતિમાધારી શ્રાવકને આત્માનંદમાં લીનતા (શુદ્ધ પરિણતિ) વધી થવાથી બીજી પ્રતિમાની અપેક્ષાએ બહારમાં આસક્તિભાવ ઓછો થઈ જાય છે.
૧. નાટક સમયસાર : બનારસીદાસ, ચૌદ ગુણસ્થાન અધિકાર, છેદ ૬૦. ૨. બાર વ્રતોનું વિસ્તૃત વિવેચન વીતરાગ-વિજ્ઞાન પાઠમાલા ભાગ ૩ ના પાઠ ૬
માં આવી ગયું છે. ૩. નાટક સમયસાર : બનારસીદાસ, ચૌદગુણસ્થાન અધિકાર, છંદ ૬૧-૬ર.
૩૩
Please inform us of any errors on rajesh@AtmaDharma.com