SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જેની પ્રતીતિ ( શ્રદ્ઘા )માં આત્માનું સાચું સ્વરૂપ ભાસ્યું હોય, જેને સાચા સ્વરૂપનો સાક્ષાત્કાર ક્ષણે-ક્ષણે વધતો ચાલે તથા દિન પ્રતિદિન સમતાભાવ વૃદ્ધિંગત થતો હોય તે અવિરત સમ્યગ્દષ્ટિ છે. ઉપરોક્ત અનુભૂતિની નિત્ય વૃદ્ધિને પામતી અપ્રત્યાખ્યાનાવરણ કાયના અભાવરૂપ જે અવસ્થા તે જ પાંચમું ગુણસ્થાન છે. ચોથા ગુણસ્થાનવર્તી શ્રાવકને પોતાના આત્માના આનંદનો સાક્ષાત્ નિર્વિકલ્પ અનુભવ તો થઈ ગયો છે, પરંતુ તેમાં લીન થવાનો પુરુષાર્થ મંદ હોવાથી તે અનુભવ તેને વારંવાર થતો નથી અને બહુ ઓછો સમય ટકે છે તથા આ અવસ્થામાં અવ્રતના પરિણામ જ રહે છે, વ્રતના પરિણામ થતા નથી; પરંતુ પાંચમા ગુણસ્થાનવર્તી શ્રાવકને અપ્રત્યાખ્યાનરૂપી અચારિત્રભાવ અથવા કષાયોનો, સ્વરૂપ–૨મણતાના ઉગ્ર પુરુષાર્થ વડે અભાવ કરી દેવાથી અનુભવ પણ જલ્દી જલ્દી થાય છે તેમ જ સ્થિરતાનો કાળ પણ વધી જાય છે તથા પરિણતિમાં વીતરાગતા પણ વધી જાય છે. આ કારણને લીધે જ તે સાધક જીવને સંસા૨, દેહ અને ભોગો પ્રત્યે આસક્તિ સહજપણે જ ઓછી થતી જાય છે અને તેના પ્રત્યે સહજ ઉદાસીનતા આવી જાય છે. તેને તે ભૂમિકાને અયોગ્ય એવા અશુભ ભાવોને છોડવાની પ્રતિજ્ઞા લેવાનો ભાવ જાગે છે અને સાથે સાથે સહજપણે જ( ઠ વિના) બાહ્ય આચરણમાં પણ તેને અનુકૂળ એવું પરિવર્તન થઈ જાય છે. કહ્યું પણ છે કે સંયમ અંશ જગ્યો જહાઁ, ભોગ અરુચિ પરિણામ । ઉદય પ્રતિજ્ઞા કૌ ભયો, પ્રતિમા તાૌ નામ ।। ઉપરોક્ત સાધકની અંતરંગ શુદ્ધિ અને બાહ્ય દશા કયી-કયી પ્રતિમામાં કેટકેટલી વધતી જાય છે તે આચાર્યો એ શ્રાવકના અગિયાર દરજ્જાઓ (પ્રતિમાઓ ) માં વિભાગ પાડીને સમજાવ્યું છે. તથા અંતરંગ શુદ્ધ દશાને જ્ઞાનધારા અને તેની સાથે રહેવાવાળા શુભાશુભ ભાવોને કર્મધારા કહી છે. સાધક જીવ તો પોતાની સ્વરૂપસ્થિરતા વધે તેનો પુરુષાર્થ કરતો હોય છે, અને તે અનુસાર તેને વીતરાગતાની વૃદ્ધિ થતી જાય છે; તેની સાથે જ કાંઈ રાગાંશ ૧. નાટક સમયસાર : બનારસીદાસ, ચતુર્દશ ગુણસ્થાન અધિકાર, છંદ ૫૮. ૩૦ Please inform us of any errors on [email protected]
SR No.008317
Book TitleTattvagyan Pathmala 1
Original Sutra AuthorN/A
AuthorHukamchand Bharilla
PublisherTodarmal Granthamala Jaipur
Publication Year
Total Pages83
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, Spiritual, & Philosophy
File Size839 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy