________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જોવા મળે છે. તેથી આ લક્ષણ અતિવ્યામિ દોષયુક્ત છે.
લક્ષણ એવું હોવું જોઈએ જે પૂરા લક્ષ્યમાં તો હોય પણ અલક્ષ્યમાં કયાંય ન હોય. પૂરા લક્ષ્ય માં વ્યાપ્ત ન હોય તો અવ્યામિ અને લક્ષ્ય તથા
અલક્ષ્ય બેઉમાં વ્યાપ્ત હોય તો અતિવ્યાતિ દોષ આવે છે. જિજ્ઞાસુ અને અસંભવ ? પ્રવચનકાર:- લક્ષ્યમાં લક્ષણના અસંભવપણાને અસંભવ દોષ કહે છે. જેમકે
મનુષ્યનું લક્ષણ શિંગડાં.” અહીં મનુષ્ય લક્ષ્ય છે અને શિંગડાં હોવાં તેનું લક્ષણ કહ્યું છે. મનુષ્યને શિંગડાં હોવાની સંભાવના પણ નથી અને કરી પણ શકાય નહીં, તેથી આ લક્ષણ અસંભવ દોષ-યુક્ત છે.'
હું માનું છું કે હવે તો લક્ષણ અને લક્ષણાભાસોનું સ્વરૂપ તમારી સમજમાં બરાબર આવી ગયું હશે. શ્રોતા -- આવી ગયું! બરાબર આવી ગયું !! પ્રવચનકાર -- આવી ગયું, તો બતાવો- જેમાં “કેવલજ્ઞાન હોય તેને જીવ કહે
છે”, શું જીવનું આ લક્ષણ સાચું છે ? શ્રોતા:-- ના, કેમ કે અહીં જીવ “લક્ષ્ય છે અને કેવલજ્ઞાન લક્ષણ.” લક્ષણ સંપૂર્ણ
લક્ષ્ય માં હોવું જોઈએ, પરંતુ કેવલજ્ઞાન બધા જીવોમાં હોતું નથી , તેથી આ લક્ષણ અવ્યામિ દોષ સહિત છે. જો આ લક્ષણને સાચું માની લઈએ તો
મતિ-શ્રુતજ્ઞાન સહિત એવા અમે અને આપ સૌ અજીવ ઠરીએ. પ્રવચનકાર:-- તો મતિ-શ્રુતજ્ઞાનને જીવનું લક્ષણ માનો. શ્રોતા -- એમ પણ નહીં. કેમ કે એમ માનીએ તો અરહંત અને સિદ્ધોને અજીવ
માનવા પડે, કારણકે તેમને મતિ-શ્રુતજ્ઞાન હોતાં નથી.
? “વાધિતHક્ષ્યવૃત્મસમ્મવિ, યથા નચ વિષાનિત્વમ્”
- ન્યાયદીપિકા : વીર સેવા મંદિર, સરસાવા, પૃષ્ઠ ૭.
૨૪
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com