________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જેમકે જીવનું લક્ષણ ચેતના છે. આમાં “જીવ' લક્ષ્ય છે અને “ચેતના” લક્ષણ. લક્ષણ વડ જેને ઓળખવામાં આવે તે જ લક્ષ્ય છે.
લક્ષણ બે પ્રકારનાં હોય છે-આત્મભૂત લક્ષણ અને અનાત્મભૂત લક્ષણ.
જે લક્ષણ વસ્તુના સ્વરૂપમાં મળેલું હોય તેને આત્મભૂત લક્ષણ કહે છે. જેમ કે-અગ્નિની ઉષ્ણતા. ઉષ્ણતા અગ્નિના સ્વરૂપભૂત હોવાથી જલાદિ પદાર્થોથી તેને જુદી (-ભિન્ન) પાડે છે, તેથી ઉષ્ણતા અગ્નિનું આત્મભૂત લક્ષણ છે. જે લક્ષણ વસ્તુના સ્વરૂપમાં મળેલું ન હોય, પણ એનાથી ભિન્ન હોય, તેને અનાત્મભૂત લક્ષણ કહે છે. જેમ કે- દંડવાળા પુરુષ(દંડી) નો દંડ. જો કે દંડ પુરુષથી ભિન્ન છે તેમ છતાં તે એને અન્ય પુરુષોથી જુદો (-ભિન્ન) પાડે છે, તેથી તે અનાત્મભૂત લક્ષણ છે.
રાજવાર્તિકમાં પણ આ ભેદોનું સ્પષ્ટીકરણ આ જ પ્રકારે કર્યું છે -- ઉષ્ણતા અગ્નિનું આત્મભૂત લક્ષણ છે- અને દંડ દેવદત્તનું અનાત્મભૂત લક્ષણ છે.
આત્મભૂત લક્ષણ વસ્તુનું સ્વરૂપ હોવાથી વાસ્તવિક લક્ષણ છે; ત્રણે કાળે વસ્તુની ઓળખ એના વડે જ કરી શકાય છે. અનાત્મભૂત લક્ષણ સંયોગની અપેક્ષાએ કહેવામાં આવે છે, તેથી તે સંયોગવાળી વસ્તુને સંયોગરહિત અન્ય વસ્તુઓથી ભિન્ન ઓળખ કરાવવામાં માત્ર તત્કાલીન બાહ્ય પ્રયોજન સિદ્ધ કરે છે. ત્રિકાળી અસંયોગી વસ્તુનો (વસ્તુસ્વરૂપનો ) નિર્ણય કરવા માટે આત્મભૂત (નિશ્ચય ) લક્ષણ જ કાર્યકારી છે. અસંયોગી આત્મતત્ત્વનું જ્ઞાન એના વડે જ થઈ શકે છે.
કોઈ પણ વસ્તુનું લક્ષણ નિશ્ચિત કરતી વખતે ખૂબ જ સાવધાની રાખવાની જરૂરિયાત છે, કેમ કે તે જ લક્ષણ આગળ જતાં પરીક્ષાનો આધાર
? “તત્રીત્મમૂતમનેરોગ્યમનાત્મમૂત વેવવન્તસ્ય :”
--- ન્યાયદીપિકા : વીર સેવા મંદિર, સરસાવા, પૃષ્ઠ ૬.
૨૨
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com