________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાન હતું. તેમના સંબંધમાં વિ. સં. ૧૮૨૧ માં બ્ર. રાયમલ ઇન્દ્રધ્વજ વિધાન મહોત્સવ પત્રિકામાં લખે છે - “આવા પ્રકાંડ પ્રજ્ઞાનાં ધારક પુરુષ આ કાળમાં થવા દુર્લભ છે, તેથી તેમને મળવાથી સર્વ સંદેહ દૂર થાય છે.”
તેઓ પોતે મોક્ષમાર્ગ-પ્રકાશકમાં પોતાનાં અધ્યયન સંબંધમાં લખે છે – “ટીકા સહિત સમયસાર, પંચાસ્તિકાય, પ્રવચનસાર, નિયમસાર, ગોમ્મદસાર, લબ્ધિસાર, ત્રિલોકસાર, તત્ત્વાર્થસૂત્ર ઇત્યાદિ શાસ્ત્ર; તથા ક્ષપણાસાર, પુરુષાર્થસિધ્ધિયુપાય, અષ્ટપાહુડ, આત્માનુશાસન આદિ શાસ્ત્ર; તથા શ્રાવક – મુનિનાં આચારનાં પ્રરૂપક અનેક શાસ્ત્ર, સુકથા સહિત પુરાણાદિ શાસ્ત્ર એ વગેરે અનેક શાસ્ત્ર છે, તેમાં મારી બુધ્ધિ અનુસાર અભ્યાસ વર્તે છે.”
તેઓશ્રીએ પોતાના જીવનમાં નાની મોટી બાર રચનાઓ કરી છે. આ રચનાઓનું પરિમાણ લગભગ એક લાખ શ્લોક પ્રમાણ અર્થાત પાંચ હજાર પૃષ્ઠ લગભગ છે. તેમાં કેટલીક તો લોકપ્રિય ગ્રંથોની વિશાળ પ્રામાણિક ટીકાઓ છે અને કેટલીક સ્વતંત્ર રચનાઓ છે. તે રચનાઓ ગદ્ય અને પદ્ય બેઉ રૂપોમાં મળી આવે છે. આ કૃતિઓ સમયાનુક્રમ પ્રમાણે નીચે મુજબ છે. :
(૧) રહસ્યપૂર્ણ ચીટ્ટી (વિ.સં. ૧૮૧૧ ) ] (ર) ગોમ્મદસાર જીવકાંડ ભાષા ટીકા (૩) ગોમ્મસાર કર્મકાંડ ભાષા ટીકા
* સમ્યજ્ઞાન ચંદ્રિકા. (૪) અર્થસંદષ્ટિ અધિકાર
(વિ. સં. ૧૮૧૮) (૫) લબ્ધિસાર ભાષા ટીકા (૬) ક્ષપણાસાર ભાષા ટીકા
ગોમ્મસાર પૂજા (૮) ત્રિલોકસાર ભાષા ટીકા (૯) સમવસરણ રચના વર્ણન
(૭).
* ગોમ્મસાર જીવકાંડ અને કર્મકાંડ ભાષા ટીકા, લબ્ધિસાર અને ક્ષપણાસાર
ભાષા ટીકા તથા અર્થસંદષ્ટિ અધિકારને “સમ્યજ્ઞાન ચંદ્રિકા” પણ કહે છે.
૧૩
Please inform us of any errors on rajesh@AtmaDharma.com