________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રકાશકીય
પૂજ્ય શ્રી ધર્મદાસજી ક્ષુલ્લક રચિત “સમ્યજ્ઞાન દીપિકા' ની આ ત્રીજી આવૃત્તિ પ્રકાશિત કરતા અમોને હર્ષ થઈ રહ્યો છે.
સૌ પ્રથમ આ ગ્રંથ, શ્રી ક્ષુલ્લકજીએ પોતે જૂની હિંદી ભાષામાં રચીને વિ.સં. ૧૯૪૬ ની મહા સુદ-૧૫ના દિવસે છપાવીને પ્રકાશિત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ગ્રંથની પ્રસ્તાવના અને ભૂમિકા પણ પોતે ક્ષુલ્લકજીએ લખી હતી. ત્યાર પછી એની બીજી આવૃત્તિ વિ. સં. ૧૯૯૦માં પ્રકાશિત થઈ હતી. તત્પશ્ચાતું ગુજરાતી ભાષામાં આ ગ્રંથની પ્રથમ આવૃત્તિ વીર નિર્વાણ સંવત ૨૪૭૩ માં તથા બીજી આવૃત્તિ વી. નિ. સંવત ૨૪૮૯ માં શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢથી પ્રકાશિત થઈ હતી. ત્યાર પછી જૂની હિંદીમાંથી આધુનિક હિંદીમાં ભાષાંતર કરાવી પ્રથમ આવૃત્તિરૂપે શ્રી દિ. જૈન મુમુક્ષુમંડળ, ભાવનગર દ્વારા વીર નિર્વાણ સં. ૨૪૯૬ માં પ્રકાશિત થઈ હતી.
આ અનેરો ગ્રંથ ઘણા વર્ષોથી અનુપલબ્ધ હતો તેથી સ્વાધ્યાયપ્રેમી મુમુક્ષુઓને ઉપલબ્ધ થાય તેવી ભાવનાથી એનું પ્રકાશન થઈ રહ્યું છે.
અધ્યાત્મમૂર્તિ કૃપાળુ ગુરુદેવશ્રી કાનજીસ્વામી ઘણીવાર પોતાના પ્રવચનોમાં આ ગ્રંથના આધાર આપતા હતા. આપશ્રીનાં જ ઉપકારથી મુમુક્ષુસમાજને પૂજ્ય શ્રી ધર્મદાસજી ક્ષુલ્લક તેમજ બીજા અનેક ભૂતકાળીના જ્ઞાની પુરુષોની ઓળખાણ થઈ અને તે ધર્માત્માઓની રચનાઓનાં સ્વાધ્યાયની પ્રેરણા સંપ્રાપ્ત થઈ. આપશ્રીનો આ અનુપમ ઉપકાર છે, જેને કયારેય ભૂલાય તેમ નથી.
આ ગ્રંથમાં પૂજ્ય ધર્મદાસજીની આત્મમસ્તી, તેમના વચનો દ્વારા ઉભરાય છે. અધ્યાત્મપ્રેમી આત્માર્થીઓ માટે આ એક અનેરો વચનયોગ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com