________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મપ્રાપ્તિનો પ્રકાર ]
[ ૧૦૩ શા માટે શોક કરે છે? ત્યારે તેણે કહ્યું કે મારી સ્ત્રી વિધવા થઈ ગઈ ' એ સાંભળીને પેલો માણસ કહે છે કે “તું તો પ્રત્યક્ષ જીવતો મોજુદ છે છતાં તારી સ્ત્રી વિધવા કેવી રીતે થઈ ' ત્યારે તે શેઠનો પુત્ર બોલ્યો કે “તમે કહો છો તે તો સત્ય છે પરંતુ મારા દાદાજીની લખેલી (ચિઠ્ઠી) આવી છે તેને જૂઠી કેમ માનું?
બે સ્વાનુભવજ્ઞાની પરસ્પર વાર્તા કરવા લાગ્યા કેપ્રશ્ન - સૂર્ય મરી જાય તો પછી શું થાય? ઉત્તરઃ- ચંદ્રમા છે કે નહિ? પ્રશ્ન:- એ ચંદ્રમા પણ મરી જાય તો પછી શું થાય? ઉત્તર:- ચિરાગ-દીપક છે કે નહિ? પ્રશ્ન:- એ ચિરાગ-દીપક પણ મરી જાય તો શું થાય ? ઉત્તર- શબ્દ વચન છે કે નહિ? પ્રશ્ન – જો શબ્દવચન પણ મરી જાય તો શું થાય?
ઉત્તર:- અટકળ (અનુમાન) છે કે નહિ? ત્યારે બોલ્યો કે ઠીક છે હું સમજી ગયો. ઇતિ પ્રશ્ન સંપૂર્ણ
સફેદવસ્ત્રના ઉપર રંગ શ્રેષ્ઠ લાગે છે કાચી હાંડીમાં જે મૂર્ખ હોય તે જળ ભરે. તેલ અને રૂની બત્તી શ્રેષ્ઠ હોય તો દીપક પ્રકાશ કરે છે (અર્થાત્ ) શીધ્ર જ્યોતિ પ્રકાશમાન કરી દે છે.
એક એકાંતવાદી પોતાના શિષ્યને બોલ્યો કે- “આ બધુંય બ્રહ્મ જ બ્રહ્મ છે (બ્રહ્મમય)' ત્યારે આ સાંભળીને શિષ્ય બજારમાં ગયો હતો ત્યાં એક હાથીનો મહાવત હાથીને લઈને આવતો હતો તે હાથી ઉપર બેઠો થકો પોકાર કરતો હતો કે “મારો હાથી દીવાનો થઈ ગયો છે માટે આઘા ખસી જાઓ” ત્યારે પેલા એકાંતવાદીના શિષ્ય પોતાના દિલમાં વિચાર્યું કે- “આ હાથી બ્રહ્મરૂપ છે અને હું પણ બ્રહ્મરૂપ છું,' ત્યારે સ્યાદ્વાદીએ તેને કહ્યું કે “તો પેલો મહાવત શું સ્યાત્ બ્રહ્મરૂપ નથી ?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com