SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ શ્લોક-૯૭ ૪૭૫ અને જેને આત્માની અધિકતા “બાળ સદીવા” આવ્યું ને ૩૧મી ગાથા “TIM સદાવાધિયં મુદ્રિાવો” જ્ઞાન સ્વભાવ એટલે જ્ઞાયક સ્વભાવ જેને અધિક છે, એટલે પરથી જુદો છે, રાગથી જુદો છે ને અધિક છે એટલે પૂરો છે, અને અધિક છે એટલે જુદો છે પૂરો છે. આહા ! અધિક જાણે જ્ઞાન સ્વભાવને અધિક જાણે, રાગથી ભિન્ન જાણે, રાગથી જુદો જાણે રાગથી જુદો, પૂરો જાણે. આહાહા! એને “જિન” કહે છે, ત્યાં ભલે મુનિ લીધાં છે પણ એ મુનિમાં મૂળ તો શરૂઆત કરવાની છે, ચોથા ગુણસ્થાનથી. આહાહા ! એ ચોથે ગુણસ્થાને પણ જિન” છે, એ “જિન” છે. આહાહા! અહીંયા એ કહે છે, કે કર્તા છે તે જ્ઞાતા નથી. એક શબ્દમાં કેટલું ભર્યું લ્યો અને જ્ઞાતા છે તે કર્તા નથી, કેમ હોઈ શકે? વસ્તુનો સ્વભાવ જ્યાં છે. આહાહા! જ્ઞાયક, આનંદ, શાંત, શુદ્ધ, પ્રભુત્વ, ઈશ્વરતા અને શક્તિઓનો સાગર એની જ્યાં રાગ ને પર્યાયથી અધિકતા નામ ભિન્નતા ભાસી એ કર્તા નથી અને જ્ઞાતા તે કર્તા નથી અને કર્તા તે જ્ઞાતા નથી. આહાહા! એવી જ રીતે કરવારૂપ ક્રિયા ને જાણવારૂપ ક્રિયા બંને ભિન્ન છે, એમ હવે કહે છે. સતાણું (શ્લોક ). બ્લોક-૯૭ (ફેન્દ્રવત્રી) ज्ञप्तिः करोतौ न हि भासतेऽन्तः ज्ञप्तौ करोतिश्च न भासतेऽन्तः। ज्ञप्तिः करोतिश्च ततो विभिन्ने ज्ञाता न कर्तेति तत: स्थितं च।।९७।। એવી જ રીતે કરવારૂપ ક્રિયા અને જાણવારૂપ ક્રિયા બન્ને ભિન્ન છે એમ હવે કહે છે: શ્લોકાર્થઃ- [રોત મન્ત: જ્ઞતિઃ ર દિ ભાસતું] કરવારૂપ ક્રિયાની અંદરમાં જાણવારૂપ ક્રિયા ભાસતી નથી [૨] અને [gણ અન્ત: રતિ ન મારતે] જાણવારૂપ ક્રિયાની અંદરમાં કરવારૂપ ક્રિયા ભાસતી નથી; [તત: જ્ઞ: રોતિઃ વિમિને] માટે જ્ઞતિક્રિયા અને “કરોતિ' ક્રિયા અને ભિન્ન છે; [૨ તત: રુતિ સ્થિત] અને તેથી એમ ઠર્યું કે [ જ્ઞાતા વાર્તા ન] જે જ્ઞાતા છે તે કર્તા નથી. | ભાવાર્થ-હું પરદ્રવ્યને કરું છું” એમ જ્યારે આત્મા પરિણમે છે ત્યારે તો કર્તાભાવરૂપ પરિણમનક્રિયા કરતો હોવાથી અર્થાત્ કરોતિ' ક્રિયા કરતો હોવાથી કર્તા જ છે અને જ્યારે “હું પરદ્રવ્યને જાણું છું” એમ પરિણમે છે ત્યારે જ્ઞાતાભાવે પરિણમતો હોવાથી અર્થાત્ જ્ઞતિક્રિયા કરતો હોવાથી જ્ઞાતા જ છે. અહીં કોઈ પૂછે છે કે અવિરત-સમ્યગ્દષ્ટિ આદિને જ્યાં સુધી ચારિત્રમોહનો ઉદય છે ત્યાં સુધી તે કષાયરૂપે પરિણમે છે તો તેને કર્તા કહેવાય કે નહિ?તેનું સમાધાન-અવિરત
SR No.008309
Book TitleSamaysara Siddhi 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2006
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy