SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ શ્લોક-૯૪ ૪૫૯ નીતઃ] પોતાના વિજ્ઞાનઘનસ્વભાવ તરફ બળથી વાળવામાં આવ્યો;[તwp-સિનામ] કેવળ વિજ્ઞાનઘનના જ રસીલા પુરુષોને [ વિજ્ઞાન - ૫સ: માત્મા] જે એક વિજ્ઞાનરસવાળો જ અનુભવાય છે એવો તે આત્મા,[માત્માનમ માત્મનિ વ નાદરન] આત્માને આત્મામાં જ ખેંચતો થકો ( અર્થાત્ જ્ઞાન જ્ઞાનને ખેંચતું થયું પ્રવાહરૂપ થઈને), [સવા તાલુકતતાન યાતિ] સદા વિજ્ઞાનઘનસ્વભાવમાં આવી મળે છે. ભાવાર્થ - જેમ જળ, જળના નિવાસમાંથી કોઈ માર્ગ બહાર નીકળી વનમાં અનેક જગ્યાએ ભમે; પછી કોઈ ઢાળવાળા માર્ગ દ્વારા, એમ હતું તેમ પોતાના નિવાસસ્થાનમાં આવી મળે તેવી રીતે આત્મા પણ મિથ્યાત્વના માર્ગે સ્વભાવથી બહાર નીકળી વિકલ્પોના વનમાં ભ્રમણ કરતો થકો કોઈ ભેદજ્ઞાનરૂપી ઢાળવાળા માર્ગ દ્વારા પોતે જ પોતાને ખેંચતો પોતાના વિજ્ઞાનઘનસ્વભાવમાં આવી મળે છે. ૯૪. શ્લોક-૯૪ ઉપર પ્રવચન આ આત્મા જ્ઞાનથી શ્રુત થયો હતો તે જ્ઞાનમાંજ આવી મળે છે એમ કહે કહે છે – दूरं भरिविकल्पजालगहने भ्राम्यन्निजोधाच्चयुतो दूरादेव विवेक निम्नगमनान्नीतो निजौधं बलात् विज्ञानैकरसस्तदेकर सिनामात्मानमात्मा हरन् आत्मन्येव सदा गतानुगततामायात्ययं तोयवत्।।९४ ।। આ આત્મા જ્ઞાનથી શ્રુત થયો હતો, હવે ઈ કહે છે જરી, તે જ્ઞાનમાં જ આવી મળે છે, પહેલી સિદ્ધિ કરે છે કે એ શ્રુત થયો હતો અનાદિથી, વસ્તુ તો વસ્તુ છે, પણ પર્યાયથી વ્યુત થયો હતો, પર્યાયથી ચુત નહોતો થયો ને અનુભવમાં આવે છે એમ નહીં એમ. આહાહાહા ! આવો ભગવાન આત્મા છતાં, પોતાના સ્વભાવથી (ટ્યુત થયો હતો ) પર્યાયમાં હોં વસ્તુમાં નહીં, વસ્તુ તો વસ્તુ છે. આહાહાહા ! પર્યાયમાં શ્રુત થયો હતો. આહાહાહા ! તે જ્ઞાનમાં જ આવી મળે છે. જે પર્યાયથી ચુત થયો હતો તે જ પર્યાયમાં જાય છે ને એમાં મળી જાય છે, વસ્તુ છે ઈ તો ચુત થતી નથી, એને તો આવરણેય નથી ને મેલેય નથી ને કાંઈ નથી જે છે તે છે દ્રવ્ય, આહાહાહા ! પણ આંહી સમજાવવું છે કે અનુભવ કરવો કીધું તો ત્યારે એ તો પર્યાય થઈ, ત્યારે કે એની પર્યાયમાં ભૂલ તો છે, ત્યારે અનુભવ કરવાનું કહેવાય છે ને પણ ઈ પર્યાયની વાત છે. આહાહાહા ! આત્મા સ્વભાવ જે જ્ઞાન સ્વરૂપ છે, (જ્ઞાનથી) ટ્યુત થયો હતો, તે જ્ઞાનમાં જ આવી મળે છે. આહાહા ! એમાં જ, જે છે તેમાં જ આવીને મળી જાય છે. આહાહા ! એમ હવે કહે છે. હવે આવી વાતું હવે, ઓલી તો દયા પાળવી, માણસો ભેગાં થાય, આ..સવારથી આવવું ધંધો બંધ કરવો, પોષાહ કરો. એમાં વળી સૂઝેય પડે. આહા... એ ક્યાં ચીજ છે એમાં પ્રભુ એ ભગવાન પરિપૂર્ણ છે પ્રવૃત્તિમાં (ક્યાં છે) એ પર્યાયથી ટ્યુત થયો છે એટલું છે. પણ પ્રવૃત્તિ છે એ એની છે બહારની ઈ એની નથી. પર્યાયમાં શ્રુત થયો છે, એટલે એનામાં છે, પણ એથી
SR No.008309
Book TitleSamaysara Siddhi 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2006
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy