SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧૦૯ થી ૧૧૨ ૨૬૩ મૂર્તિ પ્રભુ, એનાં કિરણ એ રાગમાં આવતા નથી, રાગ અચેતન છે. મહાવ્રતના પરિણામ, બારવ્રતના પરિણામ અચેતન છે એમાં ચેતનનો અભાવ છે. આહાહાહા ! સમજાણું કાંઈ ? એ પ્રત્યય અચેતન પુદ્ગલદ્રવ્યમય જ છે. આહાહાહા ! અચેતન કહીને રાગાદિ ભાવ પુદ્ગલમય જ છે. ઝીણી વાત પ્રભુ ! એણે કદી સાંભળ્યું નથી, કદી કર્યું નથી. આ દુનિયાના ઢસરડા કરી કરીને મરી ગયો, પાપ કરી કરીને આખો દિ' ચાર ગતિમાં. આહાહાહા ! સાંભળવા મળે તો પાછું એવું મળે કે તમે આ વ્રત કરો, તપ કરો, આ કરો, પૂજા કરો, ભક્તિ કરો, તો તમારું કલ્યાણ થશે....... તો આંહી કહે છે પ્રભુ એક વાર સાંભળ તો ખરો. એ પૂજા ને ભક્તિ ને દયા ને દાન ને વ્રત ને તપના ભાવ જે છે એ તો રાગ છે, ને એ રાગ છે એ આસ્રવ છે, કેમ ? કે એ અચેતન છે, ચેતન નથી. આહાહાહા ! શાંતિભાઈ ! હીરા તો અચેતન છે, પણ હીરાના પૈસા લીધા– લેવાના ભાવ થયા હોય એ અચેતન છે મમતા, અને દાન માટે ખર્ચ્યા રાગ મંદ કરીને, એ રાગ અચેતન છે, એમ કહે છે. (શ્રોતાઃ– એમાં ક્યાં જ્ઞાન છે?) શું ? જ્ઞાન નથી માટે અચેતન છે. આહાહાહા ! એનો ભાઈ છે ને, મધુએ આ મકાન લીધું ને નવનીતભાઈનું, એંસી હજાર રૂપિયા કાઢયા'તા ત્યાં ભાવનગ૨, “સસ્તુ સાહિત્ય ” કાઢે છે ને ત્યાં ! ( શ્રોતાઃ– એક લાખ આપ્યા ’તા ) લાખ, લાખ આપ્યા હતા. એંસી હજાર તો ભાઈ હીરાભાઈએ-હીરાલાલે આપ્યા'તા, એક લાખ આપ્યા’તા. આંહી વાત એ છે પણ લાખ એ શું ચીજ છે, એ તો અચેતન-જડ છે, હવે તને દેવાનો ભાવ આવ્યો એ પણ રાગ છે, એ પણ અચેતન છે. આનંદભાઈ ! આવું છે. અંદર વસ્તુ ચૈતન્યસ્વરૂપ, જ્ઞાનનો સાગર પ્રભુ, અતીન્દ્રિય આનંદથી ભરેલોચૈતન્યસ્વભાવથી ભરેલો ભગવાન એની અનંત કાળમાં કદી ખબર કરી નથી, કદી ખબર કરી જ નથી. આહાહાહા ! એ માટે ભગવાન ત્રિલોકનાથ સર્વજ્ઞદેવનો હુકમ છે કે પ્રભુ, એક વા૨ સાંભળ તો ખરો. અરે, મનુષ્યદેહ મળ્યો... આમ ચાલ્યો જાય છે બાપા અવતાર. આહાહા ! એ આત્મા અંદર ચૈતન્યસ્વરૂપ આનંદકંદ એ પુણ્ય ને પાપના આસવ-ભાવથી ભિન્ન છે અને એનાથી પુણ્ય-પાપના ભાવ અચેતન હોવાથી ભિન્ન છે. ભિન્ન છે. આવી જાય છે બધું. સમજાણું આમાં ? ચાહે તો શુભવિકલ્પ આવે કે અશુભ રાગ, બન્ને ભાવ અચેતન છે. ચૈતન્યભગવાન આત્મા એનો એમાં અભાવ છે. આહાહા ! י જેમ સાકરનો ગાંગડો છે, સાકરનો એમાં ઉ૫૨માં કંઈક મેલ છે (કેમ કે ) બાળક છે ને આમ સાકર ખાતો હોય ( ને ) ઉપર હાથ અડાડે તો મેલ હોય તો મેલ છે એ સાકર નથી, મેલ તો ભિન્ન ચીજ છે, એમ સાકર નામ અતીન્દ્રિય આનંદનો સાકરનો ગાંગડો છે પ્રભુ. આહાહાહા ! ને એમાં આ પુણ્ય ને પાપ મેલ એ અચેતન છે. આહાહા ! આ શ૨ી૨-બી૨ તો અચેતન ક્યાંય રહી ગયું આ તો ધૂળ-જડ છે માટી. આહાહા ! પૈસા અચેતન ને ધૂળ છે. ( શ્રોતાઃ– બાજરો કેમ આવે છે?) બાજરો-બાજરો અચેતન છે એને એના કા૨ણે આવવું હોય તો આવે, પૈસાથી બાજરો આવતો નથી, પૈસા એ બીજી ચીજ છે, બાજરો બીજી ચીજ છે. બાજરો કહે છે ને હિન્દીમાં ? આહાહા... થોડામાં ઘણું ભરી દીધું છે. એકકો૨ ૨ામ ને એકકોર ગામ, એકકો૨ પ્રભુ અંદ૨ સચ્ચિદાનંદ પ્રભુ જેમાં પવિત્ર અનંતા ગુણો ચૈતન્યના ભર્યાં છે, એનાથી પુણ્ય ને પાપના
SR No.008309
Book TitleSamaysara Siddhi 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2006
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy