SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ સમયસાર સિદ્ધિ ભાગ-૫ પર્યાય ષટ્કા૨કરૂપે પરિણમતી સ્વતઃ ઊભી થાય છે, એ માન છે માટે માનનું જ્ઞાન થાય છે એમેય નહિ. આહાહા ! આવી વાતું. }} {{ એમ “માયા ‘માયા” માયાનો કપટનો અંશ જરી આવે, છતાં ધર્મીને તો તે જ કાળે સ્વપ૨પ્રકાશક એવો જે જ્ઞાયકભાવ એનું ભાન છે, તેથી તે પર્યાયમાં સ્વ૫૨પ્રકાશક પર્યાય પ્રગટે એમાં માયા ને જાણે, એમ કહેવામાં આવે. આહાહા ! એમ “લોભ” છે ? લોભ આવે જરી, પણ નિર્લોભી વીતરાગી મૂર્તિ પ્રભુ છે એનું જ્યાં જ્ઞાન છે, તે શાનમાં લોભને કાળે પણ તે જ્ઞાન સ્વપ૨પ્રકાશક પોતાથી સ્વતઃ પરિણમે છે આહાહા ! ( શ્રોતાઃ- મોક્ષની લક્ષ્મી પ્રાસ કરવી એ પણ લોભ છે) મોક્ષની લક્ષ્મી, લક્ષ્મી તો ક્યાંય ધૂળમાં રહી ગઈ ( શ્રોતાઃ- મોક્ષની પ્રાપ્તિ કરવી એ લોભ ) એ ઇચ્છા એ ય નહિ. ઇચ્છા, એ પણ મોક્ષની ઇચ્છાથી મોક્ષ અટકે છે. આહાહા ! સમજાણું કાંઈ ? ઝીણી વાત છે ભાઈ. બોલ વંચાય છે પાછળનાં, છે ને ? ૧૦૧ ના. 66 ‘નોકર્મ” એટલે શું ? કે જે માતાના પેટમાં જ્યારે આવે છે ને, ત્યારે એને છ પર્યાસિ બંધાય છે આહાર, શ૨ી૨, ઇન્દ્રિય, શ્વાસ, ભાષા, મન એ છ પર્યાસિ ને યોગ્ય જે પુદ્ગલો છે તેને અહીં નોકર્મ કહેવામાં આવે છે. આરે આવી વાતું છે. કેટલુંક તો પહેલું જાણવું હોય, આ તો કોલેજ છે. અને કેટલુંક પહેલું જાણપણું હોય તો આ સમજાય એવું છે. આહાહા ! સમજાણું કાંઈ ? કાયા તો પછી આવશે, ‘કાયા’ જે આ ઔદારિક આદિ જે કાય છે એ તો કાયમાં આવશે, પણ આ નોકર્મમાં આહા૨, શ૨ી૨, ઇન્દ્રિય, શ્વાસ, ભાષા અને મનને યોગ્ય પુદ્ગલ સ્કંધ છે અને ઔદારિક, વૈક્રિયિક અને આહા૨ક એને યોગ્ય જે પુદ્ગલ છે. ઔદારિક, વૈક્રિયક, આહા૨ક એ કાયા શ૨ી૨માં આવશે પણ અહીંયા તો એને યોગ્ય પુદ્ગલસ્કંધ જે છે. આહાહા ! સ્કંધ એટલે ૫૨માણુનો પિંડ જે છે તેને અહીંયા નોકર્મ કહેવામાં આવે છે. આહાહાહા ! ભારે ! માતાના પેટમાં હોય ને સમકિતી, આત્મજ્ઞાન સહિત, કહે છે કે ત્યાં આહા૨ક શ૨ી૨ને, ઇન્દ્રિયને યોગ્ય જે પુદ્ગલ છે તેને તે જાણવાનું કામ ત્યાં કરે છે. હું આમ જાણું ને આમ, ભલે એ ન હોય. આહાહાહા ! કારણકે વસ્તુ જે છે એ તો જ્ઞાનની મૂર્તિ પ્રભુ છે, પ્રજ્ઞા બ્રહ્મસ્વરૂપ આત્મા, તે પ્રજ્ઞાનું જ્ઞાન થયું, તે જ્ઞાનનું ત્યાં જ્ઞાનકાર્ય ભલે એને ખબરે ય ન હોય કે આ આ છે ને, પણ એ વસ્તુ તો એ રીતે બને છે. જે વસ્તુનું શ્રદ્ધા ને જ્ઞાન થયું, એ કાંઈ નકામા પડયા ૨હેતા નથી ત્યાં. સમજાણું કાંઈ આમાં ? આહાહાહા ! ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યઘન એનું જ્યાં ભાન થયું ને જ્ઞાન થયું ને શ્રદ્ધા થઈ એ ગમે તે કાળમાં એ કાંઈ શ્રદ્ધા જ્ઞાન નકામા પડયા છે, એમ નથી. હૈં ? એનું કાર્ય છે. આહાહા ! કહો દેવીલાલજી ! આવો કેવો ઉપદેશ, આ કઈ જાતનો છે, ઓલો તો કહે ભાઈ ભગવાનની ભક્તિ કરવી, પૂજા કરવી, મંદિર બનાવવું એવું સહેલું સટ હતું, ધૂળમાંય કાંઈ નથી સાંભળને હવે. ૫૨નું કરી શકતો નથી ને ૫૨માં તને રાગ થાય છે ને શુભ અશુભ એ પણ ઝેર છે દુઃખ છે એનો કર્તા થાય છે તો અમૃતસાગરનો અનાદર થાય છે. આહાહાહા ! આ ટીકા તો આવ્યું હોય તે પ્રમાણે પછી કહેવાય ને. આંહીં ઝીણું પડે પણ. આહાહાહા ! ' 66 “નોકર્મ” આમ તો “નોકર્મ” બીજા દ્રવ્યકર્મ, ભાવકર્મ (સિવાય ) બાહ્ય ચીજને નોકર્મ
SR No.008309
Book TitleSamaysara Siddhi 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2006
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy