SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર સિદ્ધિ ભાગ-૪ એ કા૨ણે આત્મા ઠરે કર્તા ખરે નિજ ભાવથી; પુદ્ગલક૨મકૃત સર્વ ભાવોનો કદી કર્તા નથી. ૮૨. ગાથાર્થ:-[ પુદ્દના: ] પુદ્ગલો [ નીવપરિણામદેતું] જીવના પરિણામના નિમિત્તથી [ {i] કર્મપણે [ પરિણમન્તિ ] પરિણમે છે, [ તથા વ ] તેમ જ [ નીવ: અપિ ] જીવ પણ[ પુન્નજળર્મનિમિત્ત ] પુદ્ગલકર્મના નિમિત્તિથી [પરિમતિ] પરિણમે છે.[ નીવ: ] જીવ [ર્મમુળાન્] કર્મના ગુણોને [ ન અપિ રોત્તિ ] કરતો નથી [ તથા પુવ ] તેમ જ [ર્મ] કર્મ[ નીવતુળાન્] જીવના ગુણોને ક૨તું નથી;[ g] પરંતુ [ અન્યોન્યનિમિત્તેન ] ૫૨૫૨ નિમિત્તથી [કયો: અપિ ] બન્નેના [ પરિણામ ] પરિણામ [ નાનીÈિ] જાણો. [તેન હારબેન તુ] આ કારણે [આત્મા] આત્મા [સ્વòન] પોતાના જ [ભાવેન ] ભાવથી[f]કર્તા( કહેવામાં આવે )છે[તુ]પરંતુ[ પુન્નનર્મતાનાં]પુદ્ગલકર્મથી ક૨વામાં આવેલા [ સર્વભાવાનામ્ ] સર્વ ભાવોનો [ ŕન ] કર્તા નથી. ૨૭૪ ટીકાઃ- ‘જીવપરિણામને નિમિત્ત કરીને પુદ્ગલો કર્મપણે પરિણમે છે અને પુદ્ગલકર્મને નિમિત્ત કરીને જીવ પણ પરિણમે છે' -એમ જીવના પરિણામને અને પુદ્ગલના પરિણામને અન્યોન્ય હેતુપણાનો ઉલ્લેખ હોવા છતાં પણ જીવ અને પુદ્ગલને ૫૨સ્પ૨ વ્યાખવ્યાપકભાવના અભાવને લીધે જીવને પુદ્ગલપરિણામો સાથે અને પુદ્ગલકર્મને જીવપરિણામો સાથે કર્તાકર્મપણાની અસિદ્ધિ હોઈને, માત્ર નિમિત્તનૈમિત્તિકભાવનો નિષેધ નહિ હોવાથી, અન્યોન્ય નિમિત્તમાત્ર થવાથી જ બન્નેના પરિણામ (થાય ) છે; તે કા૨ણે ( અર્થાત્ તેથી ), જેમ માટી વડે ઘડો કરાય છે તેમ પોતાના ભાવ વડે પોતાનો ભાવ કરાતો હોવાથી, જીવ પોતાના ભાવનો કર્તા કદાચિત્ છે, પરંતુ જેમ માટી વડે કપડું કરી શકાતું નથી તેમ પોતાના ભાવ વડે ૫૨ભાવનું કરાવું અશક્ય હોવાથી ( જીવ ) પુદ્ગલભાવોનો કર્તા તો કદી પણ નથી એ નિશ્ચય છે. ભાવાર્થ:- જીવના પરિણામને અને પુદ્ગલના પરિણામને ૫૨સ્પ૨ માત્ર નિમિત્તનૈમિત્તિકપણું છે તોપણ ૫૨૫૨ કર્તાકર્મભાવ નથી. ૫૨ના નિમિત્તથી જે પોતાના ભાવ થયા તેમનો કર્તા તો જીવને અજ્ઞાનદશામાં કદાચિત્ કહી પણ શકાય, પરંતુ જીવ ૫૨ભાવનો કર્તા તો કદી પણ નથી. પ્રવચન નં. ૧૭૦ ગાથા-૮૦ થી ૮૨ તા. ૧૬/૦૧/૭૯ આ જીવના પરિણામને એટલે રાગના પરિણામ લેવા, રાગ અને દ્વેષ ને મિથ્યાત્વઆદિ ભાવ એ જીવના પરિણામ આંહી લેવા. અને પુદ્ગલના પરિણામ એટલે કર્મ છે તેની પર્યાય જે થાય કર્મની, એ પુદ્ગલના પરિણામ (ને) અન્યોન્ય નિમિત્તમાત્રપણું છે, તોપણ તેમને કર્તાકર્મપણું નથી એમ કહે છે. વિષય ફેરવ્યો. પાંચ ગાથાનો વિષય બીજો હતો. આ વિષય બીજો છે. મૂળ ૨કમની વાત હતી પાંચ ગાથામાં, બહુ ઝીણું આવ્યું'તું.
SR No.008308
Book TitleSamaysara Siddhi 4
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2005
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy