SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ સમયસાર સિદ્ધિ ભાગ-૪ જે વિકારી પરિણામ તે ખરેખર તો પુદ્ગલકર્મ છે, તેનું એ પરિણામ કર્મ છે. પુદ્ગલકર્મ છે તેનું એ કાર્ય છે, આત્માનું નહીં. આહા.... એ પોતાના પરિણામ એટલે પુદ્ગલના પરિણામ, પોતાના એટલે પુદ્ગલના પરિણામ રાગ અને દ્વેષ, દયા ને દાન ને કામ ને ક્રોધ પરિણામ એ પોતાના એટલે પુદ્ગલકર્મના, પોતાના પરિણામને અને પોતાના પરિણામના ફળને એટલે કે જે અંદર સુખદુઃખની કલ્પના થાય હરખશોકનો ભાવ થાય એ બધા કર્મનાં ફળ છે, આત્માના નહીં. આહાહા ! સમજાય છે કાંઈ ? એ પોતાના પરિણામના ફળને એટલે હરખશોક થાય, સુખદુઃખની કલ્પના થાય કે આ સ્ત્રીમાં સુખ છે, પૈસામાં સુખ છે, એવી જે કલ્પના થાય એ અહીંયા ધર્મી જીવના એ પરિણામ નહીં. એ પરિણામ પુદ્ગલકર્મ છે તેના છે. બહુ ઝીણી વાત છે ભાઈ. આહા ! એ પુદ્ગલ જે જડ છે કર્મ, એ પોતાના પરિણામને એટલે પુણ્ય ને પાપના ભાવને, એ એનાં પરિણામ છે, જીવના નહીં. જીવ તો શાયક સ્વરૂપ છે, જાણનાર છે. એ જાણના૨ને જાણ્યો એવો જે જાણના૨ને જાણ્યો એના પરિણામ તો જાણવાના, દેખવાના, શ્રદ્ધવાના, આનંદના હોય. પકડાય એટલું પકડો બાપુ આ તો અલૌકિક વાતું છે. જગતમાં ક્યાંય (છે નહીં ) આહાહાહા ! એ પહેલાં જીવના પરિણામને કીધું. એ જ્ઞાનીના જ્ઞાનના ભાનવાળાના પરિણામ એને, જ્ઞાનીના પરિણામ તો જ્ઞાતા, દૃષ્ટા, શ્રદ્ધા, શાંતિ એ એનાં પરિણામ છે એ જીવના પરિણામ પોતાના પરિણામ એટલે પુદ્ગલના પરિણામ રાગદ્વેષ, દયા, દાન, કામ, ક્રોધ, કમાવાનો ભાવ, વ્યવસ્થા કરવાનો ભાવ, એ બધા વિકાર ભાવ, એ વિકાર ભાવના પરિણામનો પુદ્ગલકર્મ કર્તા છે. ( શ્રોતાઃ– પુદ્ગલ તો જડ છે ) જડ છે ને ? આ યે જડ છે, પુણ્ય ને પાપના ભાવ એ જડ છે, અચેતન છે. ( શ્રોતાઃ– પુદ્ગલ દ્વેષ કેવી રીતે કરે ? ) એ જડ એના પરિણામ જડ, પર્યાયમાં થાય છે એનું પરિણમન છે, આ શરી૨ હાલે છે શી રીતે ? આ પર્યાય કોણ કરે છે ? જડ કરે છે કે જાણે છે એ કરે છે એવું કાંઈ છે ? હવે આ આ અવસ્થા આમ થાય છે, એ જડનું કામ છે, જાણે એનું ઈ જ કામ હોય એવું કાંઈ નથી. આહાહા ! પુણ્ય ને પાપના ભાવ એ ચૈતન્યના સ્વભાવનો એમાં અભાવ છે. આહાહા ! શુભ ને અશુભનો ભાવ રાગ અને દ્વેષ એમાં ચૈતન્ય ભગવાન શાયક સ્વરૂપ છે, જ્ઞાન એના જ્ઞાનના ચેતનનો, ચેતનનો અભાવ રાગમાં છે. અરેરે ! આવી વાતું હવે ક્યાં ? એ રાગ ચાહે તો દયાનો હોય કે ચાહે તો હિંસાનો હોય, ચાહે તો ભગવાનની ભક્તિનો હોય કે ચાહે તો બાઈડી છોકરાવને સાચવવાનો હોય, પણ એ રાગ ધર્મીને એ રાગ એનો નથી. ધર્મી જેને ધર્મ સમજાણો છે, તેનાં એ પરિણામ નથી. આહાહાહા ! ઝીણી વાત છે પ્રભુ, કોઈ દિ' એણે કર્યું નથી. તત્ત્વ શું છે અનંતકાળ એમનેમ ૮૪ માં રખડવામાં ગાળ્યો. એક એક ચોર્યાસી યોનીમાં અનંત અનંત વા૨ અવતર્યો છે. અને એ દુઃખી થઈને અવતર્યો છે, દુઃખી છે એ પૈસાવાળા હો કે રાજા હો કે દેવ હો, એ બધા આત્માના વિરોધી વિકાર ભાવના કરનારા એ દુઃખી છે. અહીંયા ઈ તો એ અજ્ઞાનીની વાત છે ને અનાદિથી ૨ખડે છે એની, પણ જેને આત્મા જ્ઞાયક છે ચૈતન્ય જ્યોત છે ઝળહળ જ્યોતિ ચૈતન્ય ચંદ્ર, સૂર્ય ચૈતન્ય પ્રકાશનો નૂરનો પૂર છે
SR No.008308
Book TitleSamaysara Siddhi 4
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2005
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy